________________
૨૮ર
શંકા-સમાધાન
સાધારણ ખાતામાંથી આપવો જોઇએ. સાધારણની આવક ઓછી હોય, તો સંઘના આગેવાનોએ સાધારણની આવક વધારવા યોગ્ય પ્રયત્ન કરવો જોઇએ. જો સાધુઓ શ્રાવકોને સાધારણ ખાતામાં આપેલું દાન વિશેષ લાભનું કારણ છે, એમ સમજાવે-હૈયામાં જચાવે, તો શ્રાવકો સાધારણ ખાતામાં વિશેષરૂપે આપે. આજે મોટાભાગના શ્રાવકોના મનમાં ભગવાનની બોલી બોલવામાં વિશેષ લાભ મળે અને સાધારણ ખાતામાં આપવામાં ઓછો લાભ મળે, એવું ઠસી ગયું હોય છે. એથી ભગવાનની બોલીમાં ઘણો લાભ લે છે અને સાધારણ ખાતામાં બહુ જ અલ્પ લાભ લે છે. પણ જો સાધારણ ખાતામાં આપવાથી પણ કઈ રીતે વિશેષ લાભ થાય, એ ઠસાવવામાં આવે, તો શ્રાવકો સાધારણ ખાતામાં પણ વિશેષ લાભ લે અને એથી સાધારણ ખાતામાં તોટો ન રહે. સાધારણ ખાતામાં ધનના દાનનું મહત્ત્વ જણાવતાં ધર્મ સંગ્રહમાં કહ્યું છે કે “શ્રાવકે મુખ્યતયા પોતાના ધનને સાધારણ ખાતામાં જ અર્પણ કરવું એ ઉત્તમ છે. કારણ કે સાધારણ ખાતામાં અર્પણ કરેલું ધન સર્વ ધર્મકાર્યોમાં ઉપયોગી બને છે.” અહીં “સાધારણ ખાતામાં જ” એમ જકારનો ઉલ્લેખ કરીને સાધારણ ખાતામાં દાન કરવા તરફ વિશેષ લક્ષ આપવું જોઈએ એમ સૂચવ્યું છે.
સંવેગરંગશાળા ગ્રંથમાં પણ સાધારણ દ્રવ્યનું મહત્ત્વ જણાવતાં કહ્યું છે કે- “આ સાધારણ દ્રવ્ય મેળવવા માટે પ્રારંભ કરતા આત્માને તે જ દિવસથી જિનમંદિર વગેરે સર્વની સેવા ચાલુ થાય છે. માટે સર્વ રીતે વિચારીને સ્વવૈભવ અનુસાર કંઈક પણ પોતાના ધનથી જેઓ સાધારણ દ્રવ્યને એકઠું કરવા પ્રારંભ કરે છે, જેઓ અન્યાયાદિ કર્યા વિના વિધિપૂર્વક પ્રતિદિન તેની વૃદ્ધિ કરે છે, અચલિત ચિત્તવાળા જે મહાસત્ત્વશાળીઓ તેનું રક્ષણ કરે છે અને જેઓ તે તે સ્થાને જરૂર પ્રમાણે ખર્ચે છે તે ધીરપુરુષો તીર્થકર નામકર્મને બાંધે છે. જે સ્ત્રી અથવા પુરુષ પ્રારંભ થયા પછી પોતાના ધનને સાધારણમાં આપે છે, તે નિયમા પરમ કલ્યાણની પરંપરાને પામે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org