________________
શંકા-સમાધાન
૨.૮૧
પોતાની કમાણી માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી મોટો દોષ લાગે. આ વિષયમાં જૈનોએ એક વાત ખાસ સમજી લેવાની જરૂર છે કે જે સિક્કામાં દેવ વગેરે પૂજ્ય વસ્તુની છાપ હોય કે અક્ષરો હોય તેવા સિક્કાની પ્રભાવના ન કરવી જોઇએ. કારણ કે જેને તે મળે તેને સાંસારિક કામ માટે પૈસાની જરૂર હોય, તો પણ તેને વેચીને પૈસા ન મેળવી શકે. હવે જો વેચે તો લેનાર માણસ તેને ગાળે, તેથી છાપનો કે અક્ષરનો વિનાશ થાય. વેચનાર આ દોષમાં નિમિત્ત બને. એથી તેને પણ દોષ લાગે. તેવી રીતે ભંડારમાં પણ આવા સિક્કા ન નાખવા જોઈએ. આવા સિક્કાથી ગુરુપૂજન પણ ન કરવું જોઈએ.
શંકા- ૬પ૬. ગુરુના સામૈયામાં શ્રાવકોથી રૂપિયાની નોટો ગુરુ ઉપર ઓવારીને ઢોલીને પ્રીતિદાન રૂપે આપી શકાય ? એ દ્રવ્ય દેવદ્રવ્ય ન ગણાય ?
સમાધાન- ગુરુપૂજન કર્યું ન હોવાથી એ દ્રવ્ય દેવદ્રવ્ય ન ગણાય. ઢોલીને પ્રીતિદાનરૂપે આપવામાં બાધ નથી.
શંકા- ૬૫૭. ઉપાશ્રયમાં કામ કરતા, કાજો કાઢનારા, સાધુ મહારાજને ઘર દેખાડતા અને આયંબિલ શાળામાં કામ કરતા માણસને દેવદ્રવ્યનો પગાર આપી શકાય ?
સમાધાન ન આપી શકાય.
શંકા- ૬૫૮. સાધુ-સાધ્વી મહારાજના વાડાની સફાઈ આદિ કરનારને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ?
સમાધાન ન અપાય. શંકા- ૬૫૯. દેરાસરોના પૂજારીના પગારોનું ધોરણ ઘણું જ નીચું છે. કોઈ સ્થળે પૂજારીને સાધારણ-દેવદ્રવ્યમાંથી ૫૦%-૫૦% આપવામાં આવે છે. કારણ કે સાધારણની આવક ઓછી છે. દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારવા અંગે ઉપદેશ આપી શકાય ?
સમાધાન- વર્તમાનમાં વધતી જતી મોંઘવારીને લક્ષમાં રાખીને દેરાસરોના પૂજારીઓને યોગ્ય પગાર આપવ ' પણ તે પગાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org