________________
શંકા-સમાધાન
૨૭૯
ક્યાંથી થાય ? આનો ઉત્તર એ છે કે, દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું કહ્યું છે એ વાત સાચી છે. પણ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું શા માટે કહ્યું છે, તે સમજવાની જરૂર છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું એટલા માટે કહ્યું છે કે, દેવદ્રવ્ય વધારે હોય, તો જ્યાં જ્યાં જરૂર હોય, ત્યાં ત્યાં એનો ઉપયોગ કરી શકાય. ઉપયોગ કરવાની જરૂર હોવા છતાં ઉપયોગ ન કરવો અને સંગ્રહી રાખવું એ શાસ્ત્રવિરુદ્ધ છે. આજે જીર્ણોદ્ધાર વગેરેમાં દેવદ્રવ્યની એટલી બધી જરૂર છે કે, દરેક સંઘ તેનો ઉપયોગ કરવા માંડે, તો સંગ્રહ કરવાનો અવકાશ જ ન રહે. હવે જો દેવદ્રવ્યનો સંગ્રહ કરવાનો અવકાશ જ ન હોય તો પછી બેંક વગેરેમાં મૂકવાનો પ્રશ્ન જ રહેતો નથી. આથી બાંધકામમાં પણ દેવદ્રવ્યને વાપરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ આજે અનેક સ્થળે ટ્રસ્ટીઓને પણ દેવદ્રવ્ય ઉપર પણ મમતા થઇ જાય છે અને એથી જરૂર હોવા છતાં દેવદ્રવ્યનો ઉપયોગ કરતા નથી. (બધા જ ટ્રસ્ટીઓ આવા છે એમ ન સમજવું). દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી અને જરૂર હોવા છતાં દેવદ્રવ્ય સંગ્રહી રાખવું, એ બેમાં ઘણો ભેદ છે.
હવે દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી, તે પણ સમજવાની જરૂર છે. હિંસાને પોષણ મળે, ઉત્તેજન મળે, એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું નથી. જો શાસ્ત્રવિરુદ્ધ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે, તો આત્માનું અહિત થાય. ધર્મસંગ્રહ અને દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે “કેટલાક મોહમૂઢ અજ્ઞાની જીવો જિનાજ્ઞાથી વિપરીત રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા સંસાર સમુદ્રમાં ડુબે છે. એટલે બેંકમાં રાખીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, તે શાસ્ત્રીય નથી. એ જ રીતે દેવદ્રવ્યથી મકાનો બાંધીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, એ પણ યોગ્ય નથી. દેવદ્રવ્યના મકાનોમાં જીવો હિંસાદિ પાપો કરે, પાપવૃદ્ધિનું કારણ બને, તેમાં અબ્રહ્મ સેવન આદિ પાપો કરે. આમ છતાં કોઇ દેવદ્રવ્યથી મકાનો બંધાવીને બેંક કરતાં વધારે વ્યાજ મેળવે, તો પણ વધારાનું વ્યાજ પણ દેવદ્રવ્યમાં જ જાય, સાધારણમાં ન જ જાય. એથી પ્રશ્નકારે લખ્યું તેમ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org