________________
૨૭૮
શંકા-સમાધાન
બેન્કમાં રાખવી પડે, તે જુદી વાત. પણ દરેક ખાતાની ૨કમના ખાતા જુદા જુદા હોવા જોઇએ. પણ કોઇ કોઇ સ્થળે બધા જ ખાતાની ૨કમ માટે એક જ કોથળી રાખવામાં આવે છે, તે તો મોટા દોષરૂપ છે. સાધારણ જેવા ખાતાના પૈસા ન છૂટકે જ રાખવા પડે તો રાખવા. બાકી દેવદ્રવ્યના પૈસાનો તો સદુપયોગ જ કરી નાખવો જોઇએ.
શંકા- ૬૫૩. આજે દેવદ્રવ્યની રકમ ફરજિયાત બેંકમાં મૂકવી પડે છે. એથી એનું વ્યાજ ઓછું આવે. તેના બદલે મકાનના બાંધકામમાં દેવદ્રવ્ય વાપરીને બેંકના વ્યાજ જેટલા રૂપિયા દેવદ્રવ્યને વ્યાજ આપીને બાકીની ભાડાની વધારાની આવક થાય, તે સાધારણમાં લઇ જઇ શકાય ખરી ? દા.ત. ૫ લાખ રૂપિયા દેવદ્રવ્યના મકાનમાં રોકી ૨૫ હજાર રૂપિયા ભાડુ આવે. તેમાંથી ૨૦ હજા૨ બેંકના વ્યાજ મુજબ દેવદ્રવ્યને વ્યાજ આપવું. પાંચ હજાર પાંચ લાખમાંથી બાદ કરવા, ધીમે ધીમે દેવદ્રવ્ય ભરાતું જાય. દેવદ્રવ્યની રકમમાંથી બંધાયેલ મકાન સાધારણનું થઇ શકે. દેવદ્રવ્યને નુકસાન તો પહોંચતું નથી. જે વ્યાજ હતું તે આપ્યું છે.
સમાધાન— અહીં સૌથી પહેલી વાત એ છે કે, દેવદ્રવ્યને રાખી મૂકવું ન જોઇએ. દેવદ્રવ્યનો જેમ બને તેમ જલદી જીર્ણોદ્ધાર વગેરેમાં ઉપયોગ કરી દેવો જોઇએ. આજે બેંકમાં વ્યાજ વધારે આવે, તો પણ દેવદ્રવ્ય મૂકવું યોગ્ય નથી. કારણ કે એ દેવદ્રવ્ય હિંસકોને પણ કર્માદાનના ધંધા કરનારને પણ પહોંચે. એથી પાપને પુષ્ટિ મળે. જો દેવદ્રવ્યનો તત્કાળ ઉપયોગ કરી દેવામાં આવે, તો બેંક વગેરેમાં રાખવાનો પ્રશ્ન જ ન આવે. બેંકમાં દેવદ્રવ્ય મૂકનારાઓને પણ એ પાપ લાગે. તથા દેવદ્રવ્યથી આ રીતે પાપને ઉત્તેજન આપવું, એ જરાય યોગ્ય નથી.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આથી જ વાર્ષિક અગિયાર કર્તવ્યોમાં દેવદ્રવ્યવૃદ્ધિ પણ એક કર્તવ્ય છે. હવે જો દેવદ્રવ્યનો તત્કાળ ઉપયોગ કરી દેવામાં આવે અને એથી બેંક વગેરેમાં મૂકવામાં ન આવે, તો એની વૃદ્ધિ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International