________________
શંકા-સમાધાન
દેરાસરના કમ્પાઉન્ડમાં લોકો ઊભા રહે, બેસે અને અનેક પ્રકારની વાતો કરે, સામાન વગેરે મૂકે.
શંકા- ૬૪૯. બિલ્ડર ચારે બાજુ ઊંચી બિલ્ડીંગો બાંધે, વચ્ચે દેરાસર-ઉપાશ્રય બાંધે, દેરાસરની આસપાસ મોટું કમ્પાઉન્ડ હોય, તેમાં જૈન બાળકો રમતા હોય, સાંજે તથા રજાના દિવસે સંઘના બધા લોકો પણ બેસતા હોય, તો તે કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી પાથરી શકાય ? એ લાદી પરથી સાધુ-સાધ્વીજી ગોચરી વહોરવા જતા હોય.
સમાધાન- કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી ન પાથરી શકાય. જો દેવદ્રવ્યની રકમમાંથી લાદી પથરાઈ ગઈ હોય, તો તેટલી સાધારણ ખાતાની રકમ દેવદ્રવ્યમાં વ્યાજ સાથે જમા કરી દેવી જોઇએ.
શંકા- ૬૫૦. દેવદ્રવ્યના રંગના ખાલી ડબા ઉપાશ્રય કે આયંબિલ શાળામાં વાપરી શકાય ? સમાધાન- ઉચિત દામ-પૈસા દેવદ્રવ્યમાં નાખીને વાપરી શકાય.
શંકા- ૬૫૧. દેરાસર માટે આવેલો રંગ તથા ફર્નીચર વગેરે સામગ્રી ઉપાશ્રયમાં વાપરી શકાય ?
સમાધાન- સાધારણ ખાતામાંથી આવેલ હોય તો વાપરી શકાય. જિનમંદિર સાધારણ ખાતામાંથી કે દેવદ્રવ્યમાંથી આવેલ હોય, તો ન વાપરી શકાય.
શંકા- ૬૫ર. દેરાસરના આવેલા પૈસા જેમ કે (૧) ચઢાવાના પૈસા, (૨) દેરાસરની કોઈ જગ્યા જે ભાડાથી આપેલી હોય તેના ભાડારૂપે આવેલા પૈસા, (૩) ભંડારના પૈસા, (૪) સાધારણ ખાતાના પૈસા, આ બધા પૈસા બેન્કના ખાતામાં મૂક્યા હોય તો ચાલે ?
સમાધાન– કોઈ પણ પ્રકારની ધાર્મિક રકમ બેન્કમાં રાખવી યોગ્ય જણાતી નથી. કારણ કે તે રકમ હિંસક માછીમાર વગેરેને પણ આપવામાં આવે, તેથી એ રકમથી હિંસા આદિ મોટા પાપોને પણ પોષણ મળે. આમ છતાં આજના સંયોગોમાં ધાર્મિક રકમની સલામતી અંગે ભય રહે, તેથી અનિવાર્ય સંયોગોમાં અમુક રકમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org