SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન શંકા- ૬૪૫. બિલ્ડીંગો વચ્ચે દેરાસર હોય, દેરાસરની આસપાસ મોટું કંપાઉંડ હોય, કંપાઉંડમાં આરામ વગેરે માટે ભાઇઓ બેસતા હોય, તો કંપાઉંડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાવી શકાય ? સમાધાન– અહીં મુખ્ય વાત એ છે કે દહેરાસરમાં અંદર કે બહાર ઇલેક્ટ્રીકનો ઉપયોગ કરવો જ ન જોઇએ. અહિંસાનો માર્ગ બતાવનારા જિનેશ્વરોના મંદિરોમાં મહાહિંસાથી ઉત્પન્ન થતા સાધનોનો ઉપયોગ કેમ કરી શકાય ? દહેરાસરના રક્ષણ માટે જ બહાર લાઇટનો ઉપયોગ કરવો પડતો હોય, તો પહેલાં નંબરમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન કરવો જોઇએ. હવે જો સાધારણની આવક થઇ શકે એમ ન હોય તો બીજા નંબરમાં દેવદ્રવ્યનો ઉપયોગ થઇ શકે. બહારના ભાગમાં દેવદ્રવ્યમાંથી લાઇટનો ઉપયોગ થતો હોય, તો ત્યાં આરામ વગેરે માટે બેસનારાઓને દેવદ્રવ્યના ઉપયોગનો દોષ લાગે. ૨૭૬ શંકા- ૬૪૬. જે કમ્પાઉન્ડમાં દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા વગેરે હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દીવાલ બનાવવી હોય, તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? કે એમાં દેવદ્રવ્ય અને સાધારણના ભાગ પાડવા પડે ? સમાધાન– તમે સૂચવ્યા મુજબ દેરાસરનો ભાગ તો બહુ જ થોડો છે. ઉપાશ્રય વગેરેનો ભાગ જ ઘણો છે. આથી સંપૂર્ણ દીવાલ સાધારણ ખાતાની ૨કમમાંથી જ બનાવવી જોઇએ. આવી કમ્પાઉન્ડદીવાલ દેવદ્રવ્યમાંથી તો કોઇ પણ રીતે ન જ બનાવી શકાય. શંકા— ૬૪૭. એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? સમાધાન– આનો જવાબ ઉપર મુજબ જાણવો. શંકા- ૬૪૮. આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાવી શકાય ? સમાધાન- ન લગાવી શકાય. કેવળ સાધારણ દ્રવ્યની રકમમાંથી બનાવી શકાય. જિનમંદિર દેવદ્રવ્યમાંથી બનાવ્યું હોય તો પણ તેનું કમ્પાઉન્ડ તો સાધારણ દ્રવ્યમાંથી જ બનાવવું જોઇએ. કારણ કે For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy