________________
શંકા-સમાધાન
શંકા- ૬૪૫. બિલ્ડીંગો વચ્ચે દેરાસર હોય, દેરાસરની આસપાસ મોટું કંપાઉંડ હોય, કંપાઉંડમાં આરામ વગેરે માટે ભાઇઓ બેસતા હોય, તો કંપાઉંડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાવી શકાય ?
સમાધાન– અહીં મુખ્ય વાત એ છે કે દહેરાસરમાં અંદર કે બહાર ઇલેક્ટ્રીકનો ઉપયોગ કરવો જ ન જોઇએ. અહિંસાનો માર્ગ બતાવનારા જિનેશ્વરોના મંદિરોમાં મહાહિંસાથી ઉત્પન્ન થતા સાધનોનો ઉપયોગ કેમ કરી શકાય ? દહેરાસરના રક્ષણ માટે જ બહાર લાઇટનો ઉપયોગ કરવો પડતો હોય, તો પહેલાં નંબરમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન કરવો જોઇએ. હવે જો સાધારણની આવક થઇ શકે એમ ન હોય તો બીજા નંબરમાં દેવદ્રવ્યનો ઉપયોગ થઇ શકે. બહારના ભાગમાં દેવદ્રવ્યમાંથી લાઇટનો ઉપયોગ થતો હોય, તો ત્યાં આરામ વગેરે માટે બેસનારાઓને દેવદ્રવ્યના ઉપયોગનો દોષ લાગે.
૨૭૬
શંકા- ૬૪૬. જે કમ્પાઉન્ડમાં દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા વગેરે હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દીવાલ બનાવવી હોય, તો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? કે એમાં દેવદ્રવ્ય અને સાધારણના ભાગ પાડવા પડે ?
સમાધાન– તમે સૂચવ્યા મુજબ દેરાસરનો ભાગ તો બહુ જ થોડો છે. ઉપાશ્રય વગેરેનો ભાગ જ ઘણો છે. આથી સંપૂર્ણ દીવાલ સાધારણ ખાતાની ૨કમમાંથી જ બનાવવી જોઇએ. આવી કમ્પાઉન્ડદીવાલ દેવદ્રવ્યમાંથી તો કોઇ પણ રીતે ન જ બનાવી શકાય.
શંકા— ૬૪૭. એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ?
સમાધાન– આનો જવાબ ઉપર મુજબ જાણવો.
શંકા- ૬૪૮. આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાવી શકાય ?
સમાધાન- ન લગાવી શકાય. કેવળ સાધારણ દ્રવ્યની રકમમાંથી બનાવી શકાય. જિનમંદિર દેવદ્રવ્યમાંથી બનાવ્યું હોય તો પણ તેનું કમ્પાઉન્ડ તો સાધારણ દ્રવ્યમાંથી જ બનાવવું જોઇએ. કારણ કે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International