SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૭૫ શંકા- ૬૪૨. પ્રભુજીના દ્રવ્યમાંથી જ લીધેલા કેસરથી દેવદેવીની પૂજા વગેરે થાય છે તે યોગ્ય છે ? સમાધાન– પ્રભુજીનું દ્રવ્ય જો દેવદ્રવ્ય ન હોય, પ્રભુજીના જ દ્રવ્યમાંથી લીધેલા કેસરથી દેવ-દેવીની પૂજા વગેરે કરવામાં બાધ જણાતો નથી. કારણ કે પ્રભુજીનું દ્રવ્ય એમ વ્યવહારથી બોલાય. પણ કેસર જે લવાતું હોય છે તે દહેરાસરના કોઈ પણ કામમાં ઉપયોગી બને એ હેતુથી લવાતુ હોય છે. આમાં સંકલ્પની મુખ્યતા છે. દહેરાસરના કોઈ પણ કામમાં ઉપયોગમાં આવે એ હેતુમાં દેવદેવી વગેરેનો પણ સંકલ્પ આવી જાય છે. બીજી વાત પ્રભુજીની સાથે અધિષ્ઠાયક દેવ-દેવી પણ આવી જાય છે. જેમ કે, કોઈ રાજાને ભોજનનું આમંત્રણ આપે તો એની સાથે રહેનારા સેવકો વગેરે પણ આવી જાય છે. સેવકોને અલગ આમંત્રણ આપવાનું હોતું નથી. એમ પ્રભુજીના દ્રવ્યમાંથી દેવ-દેવીની પૂજા વગેરે કરવામાં વાંધો જણાતો નથી. અહીં એટલું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, ઉછામણી આદિથી જે દેવદ્રવ્યની ઉપજ થઈ હોય તેમાંથી દેવ-દેવીની તો પૂજા ન થાય, કિંતુ પ્રભુજીની પણ પૂજા ન થાય. જ્યાં જૈનોનાં ઘરો ન હોય વગેરે કારણથી સાધારણની આવક ન હોવાના કારણે ત્યાં દેવદ્રવ્યમાંથી (પ્રભુજી અપૂજ ન રહે એ માટે) પૂજા કરવી પડે તો એ અપવાદરૂપ ગણાય. શંકા- ૬૪૩. દેવદ્રવ્યની રકમના અંગલુંછણાંમાંથી દેવ-દેવીને અંગલુછણાં કરી શકાય ? સમાધાન ન કરી શકાય. ભગવાનનાં અંગલુછણાં પણ સાધારણની કે જિનમંદિર સાધારણની રકમના હોવા જોઈએ અથવા કોઇએ જિનભક્તિ માટે જે રકમ આપી હોય તે રકમના હોવા જોઇએ. શંકા- ૬૪૪. દેવદ્રવ્યની રકમમાંથી દેવ-દેવીના શિખરની ધજા બનાવી શકાય ? સમાધાન ન બનાવી શકાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy