SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શંકા-સમાધાન શંકા- ૬૩૭. દેવદ્રવ્યની રકમમાંથી મહારાષ્ટ્રના એક તીર્થમાં ધર્મશાળાનું બાંધકામ કર્યું છે. તેના ટ્રસ્ટીઓ કહે છે કે અમે દેવદ્રવ્યનું વ્યાજ ભરી દઇશું. આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ થઈ શકે ? સમાધાન- આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે. કારણ કે, શ્રાદ્ધવિધિ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોમાં શ્રાવકને વ્યાજથી પણ દેવદ્રવ્ય આપવાનો નિષેધ કર્યો છે. નિષેધનું કારણ એ છે કે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી શ્રાવક સૂગ વગરનોસંકોચ વગરનો થઈ જાય વગેરે દોષોની સંભાવના છે. દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી હિસાબમાં ભૂલ થવી વગેરે કારણે દેવદ્રવ્યનો ઉપયોગ થઈ જાય વગેરે દોષ સંભવિત છે. દેવદ્રવ્યનો અજાણતાં ય થોડો પણ ઉપયોગ થઇ જાય તો ઘણા કાળ સુધી સંસારમાં વિવિધ શારીરિક-માનસિક દુઃખો ભોગવવા પડે છે એમ શાસ્ત્રમાં સંકાશ શ્રાવકના દષ્ટાંતથી જણાવ્યું છે. માટે શ્રાવક દેવદ્રવ્યનો ઉપયોગ વ્યાજથી પણ ન કરે એ જ હિતાવહ છે. શંકા- ૬૩૮. ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પાપના ભાગીદાર બને ? સમાધાન– જિનાજ્ઞાનો ભંગ કરનારા ટ્રસ્ટીઓ અવશ્ય પાપના ભાગીદાર બને. શંકા-૬૩૯. ટ્રસ્ટીઓ જ્યાં આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય ત્યાં દેવદ્રવ્યના ચડાવા બોલવા કે નહિ ? સમાધાન આવા સ્થળે દેવદ્રવ્યના ચડાવા ન બોલવા એ જ હિતાવહ છે. શંકા- ૬૪૦. ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય તો સંઘ દોષિત બને ? સમાધાન- સંઘ દોષિત બને. શંકા- ૬૪૧. દેવદ્રવ્યના કેસર-સુખડ વગેરેથી દેવ-દેવીની પૂજા થાય ? સમાધાન ન થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy