SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૭૨ બીજું ક્ષેત્ર જિનમંદિર ક્ષેત્ર છે. આ દેવદ્રવ્ય જિનમંદિર ક્ષેત્રનું ગણાય. આથી આ દ્રવ્યનો ઉપયોગ નીચે મુજબ કરી શકાય. (૧) જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરી શકાય. (૨) નવું જિનમંદિર બંધાવી શકાય. (૩) પ્રભુજીનાં આભૂષણો બનાવી શકાય. (૪) આક્રમણના સમયે તીર્થની રક્ષા કરવામાં ઉપયોગ થઇ શકે. (૫) જ્યાં શ્રાવકોનાં ઘર ન હોય, અગર હોય પણ સ્થિતિસંપન્ન ન હોય, તથા બીજી કોઇ રીતે પૂજાના ખર્ચની રકમ મેળવી શકાય તેમ ન હોય ત્યાં પ્રભુજી અપૂજ ન રહે એટલા પૂરતી દેવદ્રવ્યથી પણ પૂજા કરાવી શકાય અને ત્યાં જૈનેતર પૂજારીને પગાર આપી શકાય. શંકા- ૬૩૨. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોથી તે દ્રવ્ય વ્યાજે રાખી શકાય કે નહિ ? સમાધાન– શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી. કેમ કે નિઃશૂકપણું થઇ જાય તથા જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઇ જાય તો સંકાશશ્રાવકની જેમ ભવિષ્યમાં અત્યંત કટુ વિપાકો ભોગવવા પડે એમ ગ્રંથોમાં જોવામાં આવે છે. (સેનપ્રશ્ન ઉ. ૩ પ્રશ્ન ૭૨૩) શંકા- ૬૩૩. દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી શો દોષ લાગે ? સમાધાન– દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી થતા અનર્થોને જણાવતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર મનુષ્ય મરીને નરક વગેરે દુર્ગતિમાં જાય છે અને અનેક ભવો સુધી દુર્ગતિમાં વિવિધ પ્રકારના શારીરિક-માનસિક કષ્ટોને સહન કરે છે. આમ કહીને દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર સંકાશ શ્રાવક કેવા કેવા દુઃખો પામ્યો તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. માટે અજાણતાં પણ દેવદ્રવ્યનું ભક્ષણ ન થઇ જાય તેની અત્યંત કાળજી રાખવી જોઇએ. શંકા- ૬૩૪. જેને દેવદ્રવ્યનો પગાર અપાતો હોય, તેની પાસે કયા કયા કામો કરાવી શકાય અને કયા કયા કામો ન કરાવી શકાય ? સમાધાન– પૂર્વે કહ્યું તેવા સ્થાનમાં અપવાદે પૂજારીને કે મંદિરના નોકરને દેવદ્રવ્યમાંથી પગાર અપાતો હોય, તો તેની પાસેથી For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy