________________
૨૭૧
શંકા-સમાધાન
દેવદ્રવ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૩૦. દેવદ્રવ્ય કોને કહેવાય ?
સમાધાન- દેવદ્રવ્યના સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ છે. (૧) પ્રભુભક્તોએ પ્રભુભક્તિ માટે આપેલું દ્રવ્ય સમર્પિત દેવદ્રવ્ય છે. (૨) બોલી વગેરેથી આવેલું દ્રવ્ય પ્રાપ્ત દેવદ્રવ્ય છે. તે આ પ્રમાણે- (૧) પ્રભુના પાંચ કલ્યાણક, વરઘોડો, પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા, નૂતન જિનમંદિરનું ખનન વગેરે, પર્યુષણમાં ચૌદ સ્વપ્ર અને ઘોડિયાપારણું ઇત્યાદિની બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. ટૂંકમાં પ્રભુજીના નિમિત્તે જે જે બોલી બોલાય, તે બધું દેવદ્રવ્ય ગણાય. (૨) તીર્થમાળ, ઉપધાનમાળ વગેરે માળની ઉછામણીનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. (૩) પૂજા માટે મૂકેલા ચોખા, ફળ, નૈવેદ્ય, નાળિયેર વગેરે, પ્રભુ સમક્ષ મૂકેલ ભંડાર, આરતી-મંગળદીવાની થાળીમાં નાંખવામાં આવતા પૈસા વગેરે દેવદ્રવ્ય ગણાય. (૪) ગુરુપૂજનમાં મૂકેલું દ્રવ્ય, ગુરુપૂજનની બોલી, ગુરુને કામળી વગેરે વહોરાવવાની બોલી, નૂતન દીક્ષિતના નામકરણને જાહેર કરવાના ચડાવાનું દ્રવ્ય વગેરે દેવદ્રવ્ય ગણાય. ટૂંકમાં ગુરુના નિમિત્તે પૂજનથી કે બોલીથી પ્રાપ્ત દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય.
શંકા-૬૩૧. દેવદ્રવ્યનો ઉપયોગ શેમાં શેમાં કરી શકાય ?
સમાધાન– દેવદ્રવ્યના સમર્પિત અને પ્રાપ્ત એમ બે વિભાગ જણાવ્યા છે. તેમાં સમર્પિત દેવદ્રવ્ય દાતાના આશય મુજબ પરમાત્માની કોઈપણ પ્રકારની ભક્તિમાં ઉપયોગ કરી શકાય. જૈનશાસનમાં દાન કરવાના સાત ક્ષેત્ર છે. તેમાં સૌથી પહેલું ક્ષેત્ર જિનપ્રતિમા છે. સમર્પિત દેવદ્રવ્ય જિનપ્રતિમા ક્ષેત્રનું ગણાય. એથી તેનો ઉપયોગ જિનપ્રતિમા સંબંધી સર્વ કાર્યોમાં થઈ શકે. જેમ કેનવી પ્રતિમા ભરાવી શકાય. પ્રભુજીની આંગી કરાવી શકાય. પ્રતિમાજીના રક્ષણ માટેના બધા જ ખર્ચમાં આ દ્રવ્ય વાપરી શકાય.
બીજા વિભાગનું (=બોલી આદિથી પ્રાપ્ત થયેલું) દેવદ્રવ્ય જિનમંદિર સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે. સાત ક્ષેત્રમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org