SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શંકા-સમાધાન સાધારણ રાખવું. તેમ કરવાથી કયા ધર્મસ્થાનમાં જરૂર છે. એમ બરોબર વિચારીને તે સ્થળે તે દ્રવ્યનો વ્યય કરી શકાય. સાત ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તે ક્ષેત્રમાં ધનનો વ્યય કરવાથી બહુ લાભ થાય.” આજે અજ્ઞાનતાના કારણે શ્રાવકો એમ સમજતા હોય છે કે સાધારણખાતું એટલે સામાન્ય ખાતું. સામાન્ય ખાતું એટલે જેમાં બહુ ઓછો લાભ મળે તેવું ખાતું. પણ સાધુઓએ તેમને સમજાવવું જોઇએ કે અપેક્ષાએ સાધારણ ખાતું એટલે અસાધારણ ખાતું, અર્થાત્ ઉત્તમ લાભ મેળવવાનું ખાતું તથા સાધુઓએ શ્રાવકોને એ પણ સમજાવવું જોઇએ કે જે મંદિરમાં અને જે ઉપાશ્રયમાં પોતે આરાધના કરે તે મંદિર પ્રત્યે અને ઉપાશ્રય પ્રત્યે આંતરિક મમત્વભાવ હોવો જોઈએ અને એથી એમાં જો ધનનો તોટો પડતો હોય તો મારે પહેલાં એ તોટો પૂરો કરીને પછી બીજા સ્થળે ધનનો સદુપયોગ કરવો, એવી ભાવનાથી સંપન્ન બનવું જોઇએ. જો બધા સાધુઓ આ રીતે ઉપદેશ આપે અને સાધારણ ખાતામાં દાન કરવાની પ્રેરણા કરે તો શ્રાવકો સાધારણ ખાતામાં દાન આપે. અથવા જે શ્રાવકો સાધારણ ખાતામાં પાંચ હજાર રૂપિયા કે તેથી વધારે રકમ આપે તેનું નામ બાર મહિના માટે બોર્ડમાં લખવું વગેરે ઉપાયોથી સાધારણ ખાતાની રકમ મેળવી શકાય. બોર્ડમાં એટલા માટે લખવાનું કે એ વાંચીને બીજાને પ્રેરણા મળે. આવા બીજા પણ ઉપાયો વિચારીને કરી શકાય. શંકા-૬૨૯. ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે ગવૈયાઓની જેમ પૂજ્યશ્રીઓ પ્રેરણા કરી શકે કે નહિ ? અને તેવી પ્રેરણાથી બોલી આદિની રકમ સમયસર ભરપાઈ ન થાય તો દોષના ભાગીદાર કોણ બને? સમાધાન– ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે મર્યાદાનુસાર પૂજ્યશ્રીઓ સદુપદેશ આપી શકે. પછીથી બોલી આદિની રકમ સમયસર ભરપાઈ ન થાય તો સદુપદેશ કરનાર દોષના ભાગીદાર ન બને, કિંતુ રકમ સમયસર ભરપાઈ ન કરનારા શ્રાવકો દોષના ભાગીદાર બને. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy