________________
શંકા-સમાધાન
૨૬૯
સમાધાન– આ યોજનામાં દેવદ્રવ્યને ધક્કો પહોંચે છે. જેમકે મૂર્તિ ભરાવનારા એકથી વધારે થયા તો આગેવાનો બોલી ન બોલાવે, કિંતુ સાધારણ ખાતે ૫૦ હજારથી વધારે જે આપે તેને આદેશ આપે. આથી આમાં સ્પષ્ટ દેવદ્રવ્યની હાનિ થાય. વળી આગળ વધીને એવું પણ બને કે જ્યાં બોલી બોલાવવાની હોય ત્યાં પણ આગેવાનો સાધારણની ૨કમ મેળવવાના લોભથી બોલી ન બોલાવતાં નકરો રાખે તથા આ રીતે સાધારણની મળતી રકમ ભગવાનના નામે જ મળે છે. એ રીતે મેળવેલી સાધારણની રકમનો ઉપયોગ અંજનશલાકા કે પ્રતિષ્ઠા વગેરે પ્રસંગે સાધર્મિકવાત્સલ્યમાં પણ કરે. આમ ભગવાનના નામે રકમ મેળવવી અને તેનો ઉપયોગ પોતે કરવો એ કેટલા અંશે ઉચિત છે ? પોતાની નિશ્રામાં અંજનશલાકાદિ મહોત્સવ કરાવવો હોય અને શ્રાવકો મહોત્સવનો ખર્ચ આપે નહિ એથી કોઇ સાધુઓ આવી યોજના કરીને સાધારણની રકમ ઊભી કરીને એ રકમથી ધૂમધામથી મહોત્સવો કરે છે અને સાધર્મિક વાત્સલ્ય વગેરે કરાવે છે એવું મારા જાણવામાં આવ્યું છે. એથી વિચાર કરતાં જણાય છે કે આ રીતે ભગવાનના નામે સાધારણની ૨કમ ભેગી કરવી ઉચિત નથી.
હવે પ્રશ્ન રહ્યો કે સાધારણ તોટો કેવી રીતે પૂરવો ? આ અંગે સૌથી પહેલી વાત એ છે કે ટ્રસ્ટીઓએ બિનજરૂરી સાધારણનો ખર્ચ ન થાય તેની કાળજી રાખવી જોઇએ. અનેક સ્થળે બિનજરૂરી પગારદાર માણસ, લાઇટ વગેરેનો ખર્ચ થતો હોય છે. રીપેરીંગ વગેરે કામ કરાવવું હોય તો કેવી રીતે ઓછા ખર્ચે સારું કામ થાય તેનું ધ્યાન ન રાખે તો ખર્ચ દોઢો કે બમણો થઇ જાય એવું બને. મહોત્સવો વગેરે પણ શ્રાવકો લાભ લેનારા હોય તો જ કરાવવા જોઇએ. સંઘના સાધારણ દ્રવ્યમાંથી મહોત્સવો ન કરાવવા જોઇએ.
સાધુઓ જો સાધારણ દ્રવ્યનો મહિમા સમજાવે અને પ્રવચનમાં વારંવાર આ કહેવામાં આવે તો શ્રાવકો મરજીયાત સાધારણ દ્રવ્ય આપવા તૈયાર થાય. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે. ભગવાનની આજ્ઞા છે કે, “વિવેકી પુરુષે મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International