SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૬૫ સારું કામ થાય તેની કાળજી રાખવી જોઈએ. ક્યારેક એવું પણ બને કે, વિશેષ તપાસ કર્યા વિના ઓર્ડરથી કામ આપી દેવામાં આવે અને એથી જે કામ લાખ રૂપિયામાં સારી રીતે થઈ શકે, તેના સવા લાખ રૂપિયા થાય. આગેવાનો સાધારણ દ્રવ્યને પણ જો જેમ તેમ વાપરી નાખે તો દોષના ભાગીદાર બને. શંકા- ૬૨૩. આજે કોઈ કોઈ સ્થળે સાધારણની આવક માટે શાલિભદ્રનો કાર્યક્રમ યોજાય છે. આમાં ચડાવો બોલીને એક શાલિભદ્ર બને. સંઘમાં રાખવાના સાધારણ ભંડારને ભરવાની એના દ્વારા શરૂઆત થાય. ૯૯ પેટીઓ યોગ્ય નકરો લઈને ઘરે ઘરે આપવામાં આવે. એમાં રોજ રકમ એ ઘરમાં નંખાય. વર્ષના અંતે આ બધી રકમ સંઘના સાધારણ ખાતે જમા થાય. આ યોજના વાજબી ખરી? સમાધાન- સાધારણ ખાતાની રકમ ભેગી કરવા માટે શાલિભદ્રની આ યોજના જરા ય વાજબી નથી. આમાં સંઘનો સ્વાર્થ છે. સ્વાર્થ માટે આવા મહાપુરુષોના નામે યોજના કરવાનું જરાય હિતાવહ નથી. આમાં તો મહાપુરુષોના નામે ચરી ખાવાનું થાય છે. આમાં આવા મહાપુરુષોની આશાતના છે. એ શાલિભદ્ર ક્યાં ? અને આજના શ્રાવકો ક્યાં ? આમાં શાલિભદ્ર બનનારના અને નવાણું પેટીઓ પોતાના ઘરે લઈ જનારના મનમાં મોટા ભાગે આના પ્રભાવથી મારી ઋદ્ધિ વધશે એવો ભાવ રહેલો હોય છે. આવો ભાવ અશુદ્ધ ભાવ છે. સાધારણ ખાતાની રકમ મેળવવાના અનેક ઉપાયો છે. સાધુઓએ શ્રાવકોને સાધારણ ખાતાનું મહત્ત્વ સમજાવવું જોઇએ. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે. ભગવાનની આજ્ઞા છે કે- “વિવેકી પુરુષે મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી (કયા ધર્મસ્થાનમાં જરૂર છે એમ) ધર્મસ્થાન બરોબર જોઈને તે સ્થળે તે દ્રવ્યનો વ્યય કરી શકાય. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામાં બહુ લાભ દેખાય છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy