________________
૨૬૪
શંકા-સમાધાન
થાય. કારણ કે તેનો ઉપયોગ સાતે ક્ષેત્રમાં થઈ શકે છે. આથી જ ધર્મસંગ્રહમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “શ્રાવકે મુખ્યતયા પોતાના ધનને સાધારણ ખાતામાં જ અર્પણ કરવું, એ ઉત્તમ છે. કારણ કે સાધારણ ખાતે અર્પણ કરેલું દ્રવ્ય સર્વ ધર્મકાર્યોમાં ઉપયોગી બને છે. આથી શક્તિસંપન્ન શ્રાવકોએ સાધારણ ખાતામાં વિશેષ દાન આપવું જોઇએ.
સાધારણ ખાતાની આવક ઉત્પન્ન કરવા માટે દેવ-દેવીઓની મૂર્તિઓ બેસાડવી, તેમની આગળ ભંડાર રાખવો, તેમની પૂજાની બોલીઓ બોલાવવી એ યોગ્ય નથી. આમાં દેવ-દેવીઓ પ્રત્યે ભક્તિ નથી, પણ કેવળ સ્વાર્થ છે. કેવળ પૈસા ભેગા કરવા માટે દેવદેવીઓને બેસાડવામાં સ્વાર્થ સિવાય બીજું શું છે ? જયાં આશય ખોટો હોય ત્યાં ધર્મ કેવી રીતે થાય ? કેવળ આવક કરવા માટે દેવ-દેવીની પૂજા વગેરેની બોલીઓ બોલાવવી એ ધર્મ કેવી રીતે બની શકે ? જિનમંદિરમાં મૂળનાયકના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી સિવાય બીજા કોઈ દેવ-દેવીને બેસાડવા ન જોઇએ. આજે જિનમંદિરોમાં( જિનમંદિરના કમ્પાઉન્ડ વગેરેમાં) દેવ-દેવીઓની સંખ્યા વધતી જાય છે. કોઈ આગેવાનો જિનમંદિરમાં દેવ-દેવીઓ પધરાવે એટલે તેને જોઈને બીજા આગેવાનો પણ તેમ કરે. આવક વધારવાની ઘેલછામાં સમ્યગ્દષ્ટિ-
મિથ્યાદષ્ટિ દેવનો ભેદ પણ જોવાતો નથી. કોઈ કોઈ સ્થળે તો પરમાત્માની આરતીનું જેટલું ઘી થાય એના કરતાં દેવ-દેવીની આરતીનું ઘી વધારે થાય, એવું પણ બને છે. આમાં પરમાત્માની આશાતના છે.
જો આગેવાનો કેવળ આવક ઉત્પન્ન કરવા માટે દેવ-દેવીઓની મૂર્તિઓ બેસાડે અને લોકો કેવળ ભૌતિક સુખ માટે, વર્તમાન જીવનમાં આપત્તિ ન આવે અને ધારેલું કામ પાર પડે ઇત્યાદિ આશયથી જ દેવ-દેવીની પૂજા વગેરે કરે તો તેમાં ધર્મ ક્યાં છે ?
હવે બીજી વાત. સાધારણ ખાતાની રકમ જેમ તેમ વેડફાઈ ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ. બિનજરૂરી ખર્ચાઓ ન વધારવા જોઈએ, કોઈ પણ કામ કરાવવું હોય ત્યારે ઓછા ખર્ચે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org