SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૬૩ સાધારણદ્રવ્યનો ઉલ્લેખ છે. સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરી શકાય. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં લખ્યું છે કે “સંઘે સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રોને વિષે જ વાપરવું, પણ યાચક વગેરેને ન આપવું.” સાધારણદ્રવ્ય અને સર્વ સાધારણદ્રવ્ય એ બંને શબ્દોનો એક જ અર્થ છે. આથી સર્વ સાધારણદ્રવ્ય પણ સાત ક્ષેત્રમાં જ વાપરી શકાય, યાચક વગેરેને ન અપાય. જો સાત ક્ષેત્ર + જીવદયા અને અનુકંપા વગેરેમાં વાપરી શકાય, તેવી ટીપ કરવી હોય તો તેને શુભક્ષેત્ર એવું નામ આપવું જોઇએ. સાધારણ શબ્દમાંથી સાતે ક્ષેત્રોમાં વાપરવાનો ભાવ થઈ=આવી જતો હોવાથી સર્વ શબ્દ ઉમેરવો જરૂરી નથી. સાધારણ શબ્દની સાથે સર્વ શબ્દ ઉમેરવાથી સામાન્ય જનતા એવું સમજવા લાગે કે આ દ્રવ્ય જીવદયા વગેરેમાં વાપરી શકાય. આવું ન બને એ માટે સાત ક્ષેત્રોમાં વપરાતા દ્રવ્ય માટે “સાધારણદ્રવ્ય એવું નામ અને સાતક્ષેત્ર + જીવદયા આદિમાં વપરાતા દ્રવ્ય માટે “શુભક્ષેત્ર” એવું નામ આપવું એ વધારે ઉચિત જણાય છે. શંકા- ૬૨૧. સંઘના મુનિમ બનવાનો ચડાવો જન્મવાંચન પૂર્વે બોલાય તો એ રકમ દેવદ્રવ્યમાં જાય કે સાધારણમાં ? સમાધાન- પર્યુષણમાં સ્વમની બોલી બોલતી વખતે સંઘના મુનિમ બનવાની બોલી બોલાય તો તે સંઘના મુનિમ બનવાની બોલીની રકમ સાધારણ ખાતામાં લઈ જઈ શકાય. શંકા- ૬૨૨. સાધારણ ખાતાની આવક ઉત્પન્ન કરવા માટે શું ઉપાયો કરવા જોઇએ ? કઈ કઈ જાતની બોલી બોલી શકાય ? સમાધાન- સાધારણ ખાતાની આવક ઉત્પન્ન કરવાનો એક જ ઉપાય છે કે, શ્રાવકોની અજ્ઞાનતાને દૂર કરવી. શ્રાવકોના મનમાં ઊંડે ઊંડે એ વાત ઘર કરી ગઈ હોય છે કે, સાધારણ એટલે સામાન્ય. એટલે સાધારણ ખાતામાં આપવાથી સામાન્ય લાભ થાય. આથી શ્રાવકો સાધારણ ખાતામાં ખાસ દાન કરતા નથી. અપેક્ષાએ વિચારવામાં આવે તો સાધારણ ખાતામાં આપવાથી વિશેષ લાભ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy