SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શંકા-સમાધાન અવસ્થા સાથે સંબંધિત જે બોલી બોલાય તે દેવદ્રવ્યમાં જાય. આથી જ સાધુ-સાધ્વી તરીકેનું નૂતન દીક્ષિતનું નામ જાહેર કરવાની બોલીની ૨કમ દેવદ્રવ્યમાં જાય. મુમુક્ષુને વિદાયતિલક આદિની બોલી સાતક્ષેત્ર સાધારણમાં જાય. શંકા- ૬૧૯. પુસ્તક વિમોચનની ઉછામણીની ૨કમ ભાવિમાં બહાર પડનાર પુસ્તકમાં થશે તેવી જાહેરાતપૂર્વક ઉછામણીનો આદેશ લેનાર દાતાના નામાદિ પૂર્વક વાપરી શકાય ? ડોનેશન મેળવવાની આ પદ્ધતિ શાસ્ત્ર માન્ય ખરી ? સમાધાન– આજે ડોનેશન મેળવવા માટે વિવિધ નવી નવી બોલીઓ વધતી રહી છે. જ્ઞાનદ્રવ્યની વૃદ્ધિ થાય એ દૃષ્ટિએ પુસ્તક વિમોચનની બોલી બોલાય તો શાસ્રબાધ નથી. પણ તે રકમ જ્ઞાનખાતામાં જાય. આથી એ રકમ જે પુસ્તકમાં વપરાઇ હોય, એ પુસ્તક ગૃહસ્થોને વિના મૂલ્યે ન આપી શકાય. પુસ્તકમાં અમુક મહાનુભાવે પુસ્તક વિમોચનની ઉછામણીનો લાભ લીધો તે રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે તેવો ઉલ્લેખ ન કરી શકાય, કિંતુ પુસ્તક વિમોચનની બોલીથી થયેલી જ્ઞાનખાતાની રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે તેમ લખી શકાય. અર્થાત્ વ્યક્તિનું નામ ન લખી શકાય. કારણ કે એ રકમની માલિકી સંઘની કે ટ્રસ્ટની થાય છે. હા, પુસ્તકમાં અલગ અન્ય કોઇ સ્થળે એ વ્યક્તિનો પુસ્તક વિમોચનની ઉછામણીનો લાભ લેનાર તરીકે ઉલ્લેખ કરી શકાય. સાધારણ દ્રવ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૨૦. ચાર પ્રકારના દ્રવ્યની શાસ્ત્રીય પ્રણાલિકા છે ત્યારે આજે સર્વસાધારણદ્રવ્ય નામ આપીને ટીપ કરવામાં આવે છે, તો તેમાં શાસ્ત્રીય સંદર્ભ કે સમર્થન છે ? સમાધાન– શ્રાવકોના અતિચારમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય એમ ચાર પ્રકારના દ્રવ્યનો ઉલ્લેખ છે. તેમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy