________________
૨૬૨
શંકા-સમાધાન
અવસ્થા સાથે સંબંધિત જે બોલી બોલાય તે દેવદ્રવ્યમાં જાય. આથી જ સાધુ-સાધ્વી તરીકેનું નૂતન દીક્ષિતનું નામ જાહેર કરવાની બોલીની ૨કમ દેવદ્રવ્યમાં જાય. મુમુક્ષુને વિદાયતિલક આદિની બોલી સાતક્ષેત્ર સાધારણમાં જાય.
શંકા- ૬૧૯. પુસ્તક વિમોચનની ઉછામણીની ૨કમ ભાવિમાં બહાર પડનાર પુસ્તકમાં થશે તેવી જાહેરાતપૂર્વક ઉછામણીનો આદેશ લેનાર દાતાના નામાદિ પૂર્વક વાપરી શકાય ? ડોનેશન મેળવવાની આ પદ્ધતિ શાસ્ત્ર માન્ય ખરી ?
સમાધાન– આજે ડોનેશન મેળવવા માટે વિવિધ નવી નવી બોલીઓ વધતી રહી છે. જ્ઞાનદ્રવ્યની વૃદ્ધિ થાય એ દૃષ્ટિએ પુસ્તક વિમોચનની બોલી બોલાય તો શાસ્રબાધ નથી. પણ તે રકમ જ્ઞાનખાતામાં જાય. આથી એ રકમ જે પુસ્તકમાં વપરાઇ હોય, એ પુસ્તક ગૃહસ્થોને વિના મૂલ્યે ન આપી શકાય. પુસ્તકમાં અમુક મહાનુભાવે પુસ્તક વિમોચનની ઉછામણીનો લાભ લીધો તે રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે તેવો ઉલ્લેખ ન કરી શકાય, કિંતુ પુસ્તક વિમોચનની બોલીથી થયેલી જ્ઞાનખાતાની રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે તેમ લખી શકાય. અર્થાત્ વ્યક્તિનું નામ ન લખી શકાય. કારણ કે એ રકમની માલિકી સંઘની કે ટ્રસ્ટની થાય છે. હા, પુસ્તકમાં અલગ અન્ય કોઇ સ્થળે એ વ્યક્તિનો પુસ્તક વિમોચનની ઉછામણીનો લાભ લેનાર તરીકે ઉલ્લેખ કરી શકાય.
સાધારણ દ્રવ્ય સંબંધી શંકા-સમાધાન
શંકા- ૬૨૦. ચાર પ્રકારના દ્રવ્યની શાસ્ત્રીય પ્રણાલિકા છે ત્યારે આજે સર્વસાધારણદ્રવ્ય નામ આપીને ટીપ કરવામાં આવે છે, તો તેમાં શાસ્ત્રીય સંદર્ભ કે સમર્થન છે ?
સમાધાન– શ્રાવકોના અતિચારમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય એમ ચાર પ્રકારના દ્રવ્યનો ઉલ્લેખ છે. તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org