SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૫૯ પ્રભાવનાના હેતુથી વરઘોડો કાઢવામાં આવે અને એ રીતે પણ જૈનશાસનની પ્રભાવના અર્થે શ્રાવકોની ધર્મ ભાવના દઢ બનતી હોય તો ત્યાં દેવદ્રવ્યમાંથી રથનો નકરો અને બેન્ડનો ખર્ચ દેવદ્રવ્યમાંથી આપી શકાય. આમ પૂજ્યપાદશ્રીનો ઉત્તર વિશેષ સંયોગોને લક્ષમાં રાખીને અપાયો છે. આથી જ એ પત્રમાં લખ્યું છે કે “હર સાલ માટે તેમને જેવી સગવડ હોય તે અનુસાર કરે એમાં વાંધા જેવું લાગતું નથી.” આનો અર્થ એ થયો કે સાધારણની સગવડ થઈ શકે તો દેવદ્રવ્યનો ઉપયોગ ન કરે, સગવડ ન થઈ શકે તો આવા વિશિષ્ટ કારણોસર દેવદ્રવ્યનો ઉપયોગ કરે. મેં જે ઉત્તર આપ્યો છે તે ઔત્સર્ગિક છે. સામાન્યથી શ્રાવકે કોઇપણ પ્રકારની પ્રભુભક્તિ સ્વદ્રવ્યથી કરવી જોઇએ. આથી સ્થિતિસંપન્ન શ્રાવકો દેવદ્રવ્યમાંથી વરઘોડાનો ખર્ચ કાઢે એ ઉચિત નથી. દેવદ્રવ્યનો મુખ્યતયા જિનમંદિર જીણોદ્ધાર અને નૂતન મંદિર બનાવવું વગેરેમાં જ ઉપયોગ કરવો જોઈએ. પ્રભુભક્તિમાં દેવદ્રવ્યનો ઉપયોગ નછૂટકે જ કરવો જોઇએ. આથી જો પહેલેથી વરઘોડાનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કાઢી શકાય એમ કહેવામાં આવે તો શ્રાવકો સ્વદ્રવ્ય ખર્ચવા તૈયાર ન થાય અને એમની લોભવૃત્તિ પોષાય. આથી જાહેરમાં તો “વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ નીકળી શકે નહિ” તેમ પ્રરૂપણા કરવી જોઇએ. આ અંગે બીજી આવૃત્તિવાળા દ્રવ્યસપ્તતિકા ભાષાંતરના પાછળના ૧૪૬મા પેજમાં શ્રાદ્ધવર્ય પંડિતશ્રી પ્રભુદાસભાઈએ જે લખ્યું છે તે વાંચવા જેવું છે. શંકા- ૬૧૫. બોલી બોલીને કોઈ શ્રાવક કુમારપાળ બને છે. પછી તેના ઘરેથી વાજતે ગાજતે મંદિરમાં આવીને આરતી-મંગળ દીવો કરવામાં આવે આ રીતે શ્રાવક કુમારપાળ બને તે યોગ્ય છે? સમાધાન- આમ કરવું યોગ્ય નથી. કુમારપાળ મહારાજાનું નિર્મળ સમ્યગ્દર્શન ક્યાં ? અને આજના શ્રાવકોનું સમ્યગ્દર્શન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy