________________
શંકા-સમાધાન
૨૫૭
જલદી અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તો તે વખતે દુર્દેવથી સર્વદ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે.” આનાથી એમ નિશ્ચિત થાય છે કે (૧) ઉછામણી વગેરેનું દ્રવ્ય તુરત આપી દેવું જોઈએ. (૨) તુરત ન આપી શકાય તો વધારેમાં વધારે ૧૫ દિવસની મુદત બાંધીને મુદત પૂરી થતાં સુધીમાં દ્રવ્ય આપી દેવું જોઈએ. (૩) મુદત પૂરી થતાં સુધીમાં ન અપાય તો જેટલો વિલંબ થાય તે પ્રમાણે વ્યાજ સહિત દ્રવ્ય આપવું જોઇએ.
શંકા- ૬૧૨. ઘીની બોલીની જે રકમ થાય તેના ઉપર સાધારણના ખર્ચને પહોંચી વળવા ૨૫% જુદા લેવાનો ઠરાવ કરીને સાધારણના પૈસા અલગ લઈ શકાય ?
સમાધાન- આ રીતે સાધારણના પૈસા અલગ ન લઈ શકાય. સાધારણના ખર્ચને પહોંચી વળવા અલગ સાધારણની ટીપ કરી શકાય. પણ ઘીની બોલીની રકમ ઉપર એક ટકો પણ જુદો લેવાનો ઠરાવ ન કરી શકાય. આવા ઠરાવથી દેવદ્રવ્યની હાનિ થાય. કારણ કે બોલનારના મગજમાં એવું બેઠેલું હોય છે કે હું ઉછામણી બોલીશ તેના કરતાં સવાઈ રકમ મારે આપવી પડશે. આથી તે ઉછામણી ઓછી બોલે. તેથી દેવદ્રવ્યની હાનિ થાય. દેવદ્રવ્યની હાનિ થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિ કરવી એ અશાસ્ત્રીય છે.
શંકા- ૬૧૩. ભગવાનની રથયાત્રા=વરઘોડાની બોલીની રકમ આવે, એમાંથી બેંડ અને બળદગાડીવાળાને અપાય ? એ જ બોલીમાંથી પર્યુષણ દરમિયાન દેરાસરથી ૪૦૦ ડગલા સુધી લાઇટ ગોઠવી શકાય ? ભગવાનના વરઘોડાની રકમનું શું કરવું ? વરઘોડાનો ખર્ચ તેમાંથી લેવાય કે નહિ ?
સમાધાન– ભગવાનના વરઘોડાની બોલીની રકમ આવે, તેમાંથી બેંડ અને બળદગાડીવાળાને ન અપાય તથા એ જ બોલીમાંથી પર્યુષણ દરમિયાન દેરાસરથી ૪૦૦ ડગલા સુધી લાઈટ ન ગોઠવી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org