________________
૨૫૬
શંકા-સમાધાન
હોવાથી તુરત આપી દેવું જોઇએ. વિલંબે આપે તો (વ્યાજનું) ભક્ષણ થવાથી ઉપર કહ્યા તે(=અનંત સંસાર વગેરે) દોષો લાગે. તત્કાળ આપી શકાય તેમ ન હોય તો સંઘ સમક્ષ પખવાડિયું વગેરે મુદત બાંધી મુદત પ્રમાણે આપવું જોઇએ, અન્યથા ઉપ૨ કહ્યા તે દોષો લાગે.’
આ લખાણથી એ સ્પષ્ટ થાય છે કે, ઉછામણી બોલનાર સંઘ સમક્ષ મુદત બાંધે, સંઘ મુદત ન બાંધે. ઉછામણી બોલનાર પણ તુરત આપી શકાય તેમ ન હોય તો જ મુદત બાંધે. તુરત આપી શકે તેમ હોય છતાં મુદત બાંધે તો દોષના ભાગીદાર બને. ઉછામણી બોલનારની પહેલી શાહુકારી એ છે કે, તુરત જ રકમ સંઘને આપી દેવી જોઇએ. બીજી શાહુકારી એ છે કે બાંધેલી મુદતે ૨કમ સંઘને આપી દેવી.
હવે એ પ્રશ્ન થાય છે કે કેટલી મુદત બાંધવી ? આ અંગે શ્રાદ્ધવિધિનો પાઠ આ પ્રમાણે છે- “દેવાદિનું દ્રવ્ય તત્કાળ આપવાનું જેનાથી ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડિયાની કે અઠવાડિયા વગેરેની મુદત બાંધવી અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવદ્રવ્ય આદિના ઉપભોગનો દોષ લાગે.”
આ ઉલ્લેખને જોતાં સ્પષ્ટ થાય છે કે પખવાડિયાથી વધારે મુદત ન બાંધવી જોઇએ. જો પખવાડિયાથી અધિક મુદત બાંધી શકાતી હોત, તો ગ્રંથકાર પખવાડિયાની કે માસ વગેરેની મુદત બાંધવી એવો ઉલ્લેખ કરત. ગ્રંથકારે એવો ઉલ્લેખ ન કરતાં પખવાડિયાની કે અઠવાડિયા વગેરેની મુદત બાંધવી એમ ઉલ્લેખ કરીને વગેરે શબ્દથી પખવાડિયાથી ઓછા કાળનો ઉલ્લેખ કર્યો છે. આ બહુ યોગ્ય જ છે. કારણ કે દેવદ્રવ્યને આપવામાં વિલંબ થાય અને એ દરમિયાન પાપોદયથી ધનહાનિ કે મૃત્યુ વગેરે થાય, તો દેવનું ઋણ રહી જાય અને એથી દુર્ગતિ થવાનો સંભવ રહે. અનિત્ય આ સંસારમાં એક ક્ષણનો પણ ભરોસો નથી તો અનેક દિવસો સુધીનો ભરોસો કેવી રીતે રાખી શકાય ? આથી શ્રાદ્ધવિધિ ગ્રંથમાં એક સ્થળે કહ્યું છે કે- “માળપરિધાન વગેરેનું દ્રવ્ય તે જ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઇ શકે તો જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org