________________
શંકા-સમાધાન
૨૫૫
શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૩ૐ હ્રીં શ્રીં
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિસિદ્ગુરુભ્યો નમઃ |
ઐ નમ: ( શંકા-સમાધાન |
(ભાગ-૨) લેખક– પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
બોલી સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૧૦. ચડાવો અને નકરાનો ભેદ શો? કુંભસ્થાપનાદિનો ચડાવો બોલાય તો દેવદ્રવ્ય ગણાય, નકરો રાખે તો એમાંથી કુંભસ્થાપનાનો ખર્ચ કાઢી શકાય, એમ જાણવા મળે છે. આ વાત બરાબર ગણાય ?
સમાધાન- જ્યારે એકથી વધારે લાભ લેનારા શ્રાવકો ન હોય, એક જ શ્રાવક લાભ લેનાર હોય ત્યારે નકરાથી તેને લાભ અપાય છે. જ્યારે લાભ લેનારા શ્રાવકો વધારે હોય ત્યારે બોલી બોલાય છે. નકરામાં અને બોલીમાં આટલો ભેદ છે. બીજો કોઈ લાભ લેનાર ન હોય તો નકરાથી જ આદેશ આપવો પડે. એથી જ નકરો દેવદ્રવ્યની હાનિ પહોંચાડનારો બનતો નથી તથા કુંભસ્થાપના વગેરેની બોલી બોલાય ત્યારે જે બોલી બોલે તેને કુંભસ્થાપના વગેરેનો ખર્ચ અલગ આપવાનો રહેશે એવી સ્પષ્ટતાપૂર્વક જ કુંભસ્થાપના વગેરેની બોલી બોલાય છે. એ બોલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય.
શંકા- ૬૧૧. ખાસ કરીને પર્યુષણ અને પ્રતિષ્ઠા મહોત્સવની ઉછામણીની રકમ હપ્તાવાર ચૂકવવા માટેની પદ્ધતિ અમલમાં આવી છે તો તેમાં દેવદ્રવ્ય વિલંબથી ચૂકવવામાં આવે તો વ્યાજનો દોષ કે અન્ય કોઈ દોષ લાગે કે નહિ ?
સમાધાન– આ વિષે ધર્મસંગ્રહમાં આ પ્રમાણે પાઠ છે- (તીર્થમાળ વગેરે) માળા પહેરવા વગેરેમાં જે ઉછામણી બોલાય તે દેવદ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org