________________
પપ૩
શંકા-સમાધાન દેશો તો તુમ હી ભલા, બીજા તો નવિ જાચું રે વાચક જણ કહે સાઈશું, ફળશે એ મુજ સાચું રે. કાલસર્પનો યોગ પોતાના કેવા કર્મના કારણે હોય છે. અરિહંતની ભક્તિથી કર્મક્ષય થાય છે. મહાપુરુષોએ કહ્યું છે કે- મત્તરૂ નિવરી વિનંતિ પુષ્યસંવિયા સ્ના=શ્રદ્ધાપૂર્વક કરેલી અરિહંતોની ભક્તિથી અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં કમો ક્ષય પામે છે. કારણ કે અરિહંતભક્તિનો આવો સ્વભાવ જ છે. જેમ સૂર્યનો અંધકારને દૂર કરવાનો સ્વભાવ છે તેમ અરિહંતભક્તિનો અશુભ કર્મોને દૂર કરવાનો સ્વભાવ છે.
શંકા- ૧૧૭૮. પત્રિકાઓમાં દેવ-ગુરુ-મુમુક્ષુના ફોટા છપાય છે તે યોગ્ય છે?
સમાધાન- જરાય યોગ્ય નથી. પત્રિકાઓમાં હાથી વગેરે જીવના ચિત્રો છપાય તે પણ યોગ્ય નથી. કારણ કે હાથી વગેરે જીવના ચિત્રો સ્થાપના રૂપ જીવ છે. તેથી તેના નાશમાં જીવહિંસાનું પાપ લાગે. યશોધરના જીવે માત્ર લોટનો કુકડો બનાવીને તેનો વધ કર્યો તેના કારણે તેને અનેક ભવો સુધી દુઃખો સહન કરવા પડ્યા. પત્રિકાઓમાં છાપેલા દેવ-ગુરુ આદિના ફોટાનો અવશ્ય નાશ થવાનો. એ નાશ થવામાં પત્રિકાઓમાં દેવ-ગુરુ આદિના ફોટા છપાવનાર નિમિત્ત બને છે. તેથી તેને પાપ લાગે. માટે પત્રિકાઓમાં દેવ-ગુરુ આદિના ફોટા છપાવવા ન જોઇએ.
શંકા- ૧૧૭૯. અરિહંતની ભક્તિ માટે સ્થાપિત મહિલા મંડળને મળતી ભેટ રકમનો ઉપયોગ શામાં કરી શકાય ?
સમાધાન– (૧) મંડળ માટે જરૂરી વાજિંત્ર વગેરે સાધનો લાવવામાં કરી શકાય. (૨) સાત ક્ષેત્રમાં અને જીવદયા-અનુકંપામાં વાપરી શકાય. (૩) તીર્થયાત્રા કરવા-કરાવવામાં વાપરી શકાય. (૪) સાધુ-સાધ્વીજીઓની વેયાવચ્ચમાં વાપરી શકાય. (૫) પાઠશાળાના બાળકોને પ્રભાવના કરવી વગેરેમાં વાપરી શકાય. (૬) ટૂંકમાં મંડળને સામૂહિક રૂપે મળેલ રકમનો ઉપયોગ મંડળના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org