________________
શંકા-સમાધાન
૫૪૫
આવી સભામાં વક્તવ્ય કરવાનું બને તો મુખ્યત્વે બહેનોની સામે જ દૃષ્ટિ પડે એવા સ્થળે ઊભા રહીને વક્તવ્ય કરવું જોઇએ.
શંકા- ૧૧૬૪. કેટલાક ધાર્મિક પ્રસંગે પુરુષ દ્વારા સ્ત્રીને હાર પહેરાવાય છે અને સ્ત્રીના કપાળે તિલક પણ કરાય છે તે યોગ્ય છે. સમાધાન– યોગ્ય નથી. શ્રાવકે પરસ્ત્રીના સ્પર્શથી જ દૂર રહેવું જોઇએ.
હનુમાનજી લંકાના દેવરમણ ઉદ્યાનમાં રહેલા સીતાજીની પાસે પહોંચ્યા. ત્યાં સીતાજી અને હનુમાનનો વાર્તાલાપ. તેમાં હનુમાનજીએ કહ્યું: ‘હે સ્વામિની ! તમે કહો તો સૈન્ય સહિત રાવણનો પરાભવ કરીને તમને મારી ખાંધ ઉપર બેસાડી હું મારા સ્વામી રામચંદ્રજીની પાસે લઇ જાઉં.’ સીતાજી બોલ્યા- ‘તમારામાં આવી શક્તિ સંભવે છે, પણ મારે પરપુરુષનો સ્પર્શ કરવો જરા પણ યોગ્ય નથી.' સીતાજીના આ વચનથી સમજાય છે કે પૂર્વે આર્યનારીઓ પરપુરુષનો સ્પર્શ પણ કરતી ન હતી.
શંકા- ૧૧૬૫. આપણા ધાર્મિક પ્રસંગોમાં સ્ત્રીવર્ગની પુરુષવર્ગ સાથેની છૂટછાટો નિમર્યાદ બનતી જાય છે. જૈન સંઘ માટે આવી છૂટછાટો હિતાવહ ખરી ?
સમાધાન—જરા ય હિતાવહ નથી. બીજી પણ અહિતકર પ્રવૃત્તિઓ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. જેમકે- ઉપધાનમાં સ્ત્રીને મળવા માટે પુરુષો રાતે જાય. સાધુના ઉપાશ્રયમાં એકલી સ્ત્રી કે એકલા સાધ્વીજી સાધુ મહારાજને વંદનાદિ માટે જાય. પુરુષ રાતે સાધ્વીજીને મળવા સાધ્વીજીના ઉપાશ્રયમાં જાય. સ્ત્રી કે સાધ્વીજી અકાળે સાધુઓની પાસે જાય. આવી ક્ષતિઓ તરફ આંખ આડા કાન ક૨વાના કારણે શાસનની અપભ્રાજના થાય તેવું બનવાની ઘણી સંભાવના રહે છે. માટે આવી ક્ષતિઓ ન થાય, એ માટે ચતુર્વિધ સંઘે સદા સાવધ રહેવું જોઇએ.
શંકા- ૧૧૬૬. પ્રશસ્ત ક્રોધાદિ કષાયના કારણે થતી પ્રવૃત્તિ પ્રશંસનીય ખરી કે નહિ ? જેમ ઇન્દ્રે લુહારને મારી નાખ્યો, એવી
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International