________________
૫૪)
શંકા-સમાધાન
પણ ભાવથી રહિત છે. આમ છતાં સમ્યગ્દર્શન રહિત જીવો મારામાં ભાવ પ્રગટે એવા આશયથી ક્રિયા કરે તો સમય જતાં તેમનામાં અવશ્ય ભાવ પ્રગટે. કેટલાક જીવો તો એટલા બધા ભદ્રિક હોય છે કે જેથી આ ધર્મક્રિયા કરતાં કરતાં મારામાં ભાવ આવે એવી પણ ભાવના તેમનામાં હોતી નથી. આમ છતાં તેમના હૃદયમાં આ ક્રિયા જિને કહી છે માટે મારે કરવી જોઇએ. આ ક્રિયા જિને કહી છે, એવા ભાવથી ધર્મક્રિયા કરતાં કરતાં તેમનામાં સમ્યગ્દર્શનરૂપ ભાવ આવી જાય છે. પ્રારંભમાં ભાવરહિત ધર્મક્રિયા કરે. ભાવરહિત ધર્મક્રિયા કરતાં કરતાં પાછળથી ભાવવાળા બનીને મોક્ષમાં ગયા હોય તેવા અનંત સિદ્ધો મોક્ષમાં વિદ્યમાન છે.
શાસ્ત્રમાં ધર્મક્રિયાને વ્યવહાર શબ્દથી સંબોધવામાં આવે છે. સમ્યગ્દર્શનાદિ ભાવને નિશ્ચય શબ્દથી સંબોધવામાં આવે છે. આ બંને મોક્ષનું કારણ છે. મોક્ષપ્રાપ્તિ માટે આ બંને જરૂરી છે. જે જીવો નિશ્ચયથી રહિત છે તે ભવ્ય જીવો વ્યવહારનું પાલન કરતાં કરતાં નિશ્ચયને પામે છે. એટલે કે તેમનામાં નિશ્ચય અને વ્યવહાર એ બેનો સુમેળ થાય છે. આ બેનો સુમેળ થતાં આત્મા મોક્ષગતિને પામે છે. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કહ્યું છે કેનિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.
શંકા- ૧૧૫૭. શ્રીમદ્ રાજચંદ્રને મનાય ? તેમના પુસ્તકો વંચાય? જૈનધર્મમાં બધા ધર્મોનો અભ્યાસ કરવાનું કહ્યું છે.
સમાધાન– રાજચંદ્રને ન મનાય. કારણ કે ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. રાજચંદ્રના મતમાં પંથમાં ચતુર્વિધ સંઘ નથી. સાધુ-સાધ્વી નથી. સંયમ વિના મોક્ષ નથી. તેમના પંથમાં સાધુ-સાધ્વી નથી એનો અર્થ એ થયો કે સંયમ નથી. એમના પંથમાં માત્ર સ્વાધ્યાયનું મહત્ત્વ છે. પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓનું મહત્ત્વ નથી. કદાચ સ્વાધ્યાયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ તેટલા માત્રથી આત્માનો મોક્ષ ન થાય. જ્ઞાનીઓ કહે છે કે- જ્ઞાન-ક્રિયાપ્યાં મોક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org