________________
શંકા-સમાધાન
૫૩૯
ધર્મધ્યાન રોજ ફરતાં વિશેષ કરે છે. થોડા પણ એવા લોકો હોય છે કે જેમને વિશેષ ધર્મ કરવાની ભાવના હોય છે, પણ નોકરીના કે ધંધાના કારણે વિશેષ ધર્મ કરી શકતા નથી. આવા લોકો રજાના દિવસે વિશેષ ધર્મ કરી શકે એ માટે રજા રખાવવાથી લાભ જ છે.
આમે ય સર્વ સાધારણ રીતે વિચારવામાં આવે તો ધર્મસ્થાનોથી પણ બધાને લાભ થતો નથી. ધર્મસ્થાનોમાં આવનારા લોકોમાંથી બહુ જ થોડા લોકો ધર્મસ્થાનોથી સાચો લાભ મેળવી શકતા હોય છે. ઉપધાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનોથી પણ બધા સાચો લાભ ઉઠાવી શકતા નથી. આમ છતાં થોડા પણ જીવો યોગ્ય હોય છે કે જેઓ ધર્મસ્થાનોથી અને અનુષ્ઠાનોથી સાચો લાભ મેળવી લેતા હોય છે. આવા લોકોની અપેક્ષાએ જ ધર્મસ્થાનોનું નિર્માણ કરાવનારા અને અનુષ્ઠાનો કરાવનારા લાભ મેળવી લેતા હોય છે. ધાર્મિક ભાવનાથી રહિત લોકો માટે તો રજા હોય કે ન હોય એમ બંને રીતે સમાન છે. કારણ કે રજા ન હોય ત્યારે અને રજા હોય ત્યારે પણ એક યા બીજી રીતે પાપ કરવાના છે. પણ ધર્મની સાચી ભાવનાવાળા લોકોને રજાથી વિશેષ ધર્મ કરવાના કારણે લાભ થાય. આમ સરકારમાં આપણા ધાર્મિક તહેવારોની રજા રખાવવાથી લાભ છે.
શંકા- ૧૧૫૬. ક્રિયા અને ભાવ એ બેમાં કોનું મહત્ત્વ વધારે છે ? એવું સાંભળ્યું છે કે ભાવશૂન્ય ક્રિયાનું કોઇ મહત્ત્વ નથી. આ દૃષ્ટિએ તો ક્રિયાનું મહત્ત્વ નથી, કિંતુ ભાવનું મહત્ત્વ છે.
સમાધાન– ક્રિયા અને ભાવ એ બંનેનું મહત્ત્વ છે. ભાવશૂન્ય ક્રિયાનું મહત્ત્વ નથી એ જેમ સાચું છે, તેમ ક્રિયાથી ભાવ આવે એ પણ સાચું છે. અહીં ભાવ એટલે શું ? એ સમજવાની જરૂર છે. સમ્યગ્દર્શન એ ભાવ છે. આમ તો મોક્ષના આશયથી જિનાજ્ઞાપૂર્વક ક્રિયા કરવાની ઇચ્છા એ ભાવ છે. આવો ભાવ સમ્યગ્દર્શન વિના ન આવે. આથી સમ્યગ્દર્શન એ ભાવ છે. જે જીવો સમ્યગ્દર્શન રહિત છે. તેમની ક્રિયા ભાવથી શૂન્ય છે. જે જીવો સમ્યગ્દર્શનથી રહિત છે તેમની ક્રિયા જિનાજ્ઞાપૂર્વક થાય તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org