________________
શંકા-સમાધાન
૫૩૩
રહિમન વો નર મર ચૂકે, જો કહીં માગને જાય ઉસકે પહલે વો મરે, જિસ કે મુખસે નિકલે નાય.
આમ અનેક દૃષ્ટિએ બુફે ભોજનમાં સાધર્મિકોની લઘુતા થાય છે. જૈન જગત તરફ ન જુએ, કિંતુ જિનાજ્ઞા તરફ જુએ. ઉત્કૃષ્ટ જિનાજ્ઞા તો એ છે કે સાધર્મિકના ચરણોને દૂધથી પખાળે, કપાળે કંકુનું તિલક કરે, બેસાડીને સ્નેહથી ભોજન પીરસે અને વસ્ત્ર આદિની પહેરામણી આપે. કદાચ આ બધું ન થઈ શકે, તો પણ કમમાં કમ બેસાડીને ભોજન કરાવે તો પણ જિનાજ્ઞાનું પાલન થાય. પણ આજે ઘણા જૈનો પણ જિનાજ્ઞા તરફ જોવાના બદલે જગત તરફ જુએ છે. એથી એમની રહેણી-કરણી, પહેરવેશ, ભાષા-ભોજન વગેરેમાં જિનાજ્ઞા અદશ્ય થતી જાય છે. જ્યાં જિનાજ્ઞા ન હોય ત્યાં જૈનત્વ કેવી રીતે હોય ? આજે દુર્લભ જૈનધર્મની થયેલી પ્રાપ્તિને સફળ બનાવવા જૈનોએ જિનાજ્ઞા તરફ દષ્ટિ રાખીને જીવન જીવવું જોઇએ. પૂર્વકાળ જેવા જૈનો આજે હયાત હોત, તો તેઓ આજ જેવા બુફેમાં જમવા પણ જાત કે કેમ ? એ વિચારણીય છે. જૈનત્વની ખુમારીવાળા આવા બુફેમાં જમવા જવાનું ટાળી દે, તોય વહેલા મોડા સાચા સાધર્મિક-વાત્સલ્ય થવા માંડે.
શંકા- ૧૧૪૬. હાલમાં શહેરોમાં ઘણા સ્થળોમાં જગ્યાની સંકડાશને કારણે સાધર્મિક વાત્સલ્યમાં “બુફે” રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બુફે દ્વારા સાધર્મિકવાત્સલ્ય કરવું યોગ્ય છે કે સંઘમાં ઘર દીઠ ભારત=મીઠાઇ-સેવ વગેરેના પેકેટ) આપીને સાધર્મિક વાત્સલ્યનું કર્તવ્ય બજાવવું યોગ્ય છે.
સમાધાન- સંઘમાં બહુમાનપૂર્વક સાધર્મિક વાત્સલ્ય ન થઈ શકે. આવા સંયોગોમાં ઘર દીઠ ભાર આપીને સાધર્મિક વાત્સલ્યનું કર્તવ્ય બજાવવું યોગ્ય છે. જૈનસંઘોમાં કોઈ પણ સંયોગોમાં “બુફે ભોજન તો ન જ હોવું જોઈએ.
શંકા- ૧૧૪૭. બાળકોની સાપ-સીડી જેવી રમતોને પ્રોત્સાહન અપાય? બાળકો માટે કોમ્યુટર ગેમ પણ આવે છે. આ કોમ્યુટર ગેમને પણ પ્રોત્સાહન અપાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org