________________
૫૩૨
શંકા-સમાધાન ન લેવી જોઇએ. આવા સામાયિકો સામાયિક-પૌષધમાં વાંચી શકાય પણ સંસારને પોષનારી જાહેરાતો ન વાંચવી જોઇએ. કેવળ ધાર્મિક જ લખાણ વાંચવું જોઈએ.
શંકા- ૧૧૪૪. ભગવાનને ચડાવેલી ચાંદી કે સોનાની કોઈ વસ્તુ ચડાવનાર વ્યક્તિ બીજા ગામમાં દેરાસરમાં દરરોજ ઉપયોગ કરવા માટે ભેટ આપે તો દોષ લાગે ?
સમાધાન– ભગવાનને ચડાવતાં પહેલાં સંઘ-ટ્રસ્ટીઓને જાણ કરવી જોઈએ કે આ વસ્તુ હું ભગવાનને ચડાવું છું, પછી હું એ વસ્તુ બીજા ગામના દેરાસરમાં દરરોજ ઉપયોગ કરવા માટે ભેટ આપીશ. જો સંઘ-ટ્રસ્ટીઓ આવી શરતે ચડાવવાની હા પાડે તો બીજા ગામમાં દેરાસરમાં દરરોજ ઉપયોગ કરવા માટે ભેટ આપવામાં દોષ ન લાગે.
શંકા- ૧૧૪૫. બુફેને (ઊભાં ઊભાં ખાવું તેને) સાધર્મિકવાત્સલ્ય કહેવાય ?
સમાધાન- બુફેને સાધર્મિકવાત્સલ્ય કઈ રીતે કહેવાય ? બુફે ભોજન અનાદરવાળું છે. આથી જૈનથી આવું સાધર્મિકવાત્સલ્ય ન કરાય. બુફે ભોજન અનાદરના કારણે સાધર્મિકવાત્સલ્યને દૂષિત બનાવે છે. આ અંગે એક મહાપુરુષે કહ્યું છે કે
અનાદર, વિલંબ, વિમુખતા, અપ્રિયવચન અને પશ્ચાત્તાપ આ પાંચ સદ્દાનને દૂષિત બનાવે છે.”
માત્ર માનવતાની દૃષ્ટિએ પણ વિચારવામાં આવે તો ઊભાં ઊભાં ભોજન કરવું, એ અત્યંત અશિષ્ટતા છે. નીતિશાસ્ત્રમાં પણ ઊભાં ઊભાં ખાવાનો નિષેધ કર્યો છે. ઊભાં ઊભાં ભોજન કરનારા બુટચંપલ પહેરીને ભોજન કરે છે. આ પણ અશિષ્ટતા છે. બુફે ભોજનમાં સામે જઈને માગવું પડતું હોવાથી સાધર્મિકની લઘુતા થાય છે. માંગવું એ કેટલું ખરાબ છે એ વિષે ગોરખ સંતે કહ્યું છે કે- .
સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની ખિચ લિયા સો ખૂન બરાબર, યહ ગોરખની વાની બીજા એક કવિએ કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org