________________
શંકા-સમાધાન
૫૩૧
શંકા- ૧૧૪૧. શંખેશ્વરની પાસેના સમી જેવા અનેક ગામોમાં ચતુર્વિધ સંઘભક્તિ તરીકે ફંડ થાય છે. એ ફંડમાંથી સાધુ-સાધ્વીજીના ટીફીન વિહારોમાં જાય છે. એ રીતે બીજા બધા સંઘો ફંડ કરે તો બધાને ચાલી શકે. ફંડનું નામ વેયાવચ્ચ ફંડ ન રાખતાં ભક્તિ ફંડ રાખવું જોઇએ શું ?
સમાધાન– આવા ફંડની રકમમાંથી થયેલ ભોજન સાધુસાધ્વીજીની સાથે રહેલ મુમુક્ષુ ભાઇ-બહેનોને અને વંદનાર્થે આવનાર શ્રાવક-શ્રાવિકાને પણ ખપી શકે. ચતુર્વિધ સંઘભક્તિ ફંડ નામ રખાય તો સારું.
શંકા- ૧૧૪૨. શ્રાવકને સાધર્મિક સામે મળે ત્યારે અને અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે ઔચિત્ય માટે શું બોલવું જોઇએ ?
સમાધાન- શ્રાવકને સાધર્મિક સામે મળે ત્યારે બે હાથ જોડી પ્રણામ એમ બોલવું જોઇએ અને અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલી શકાય. અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે ‘પ્રણામ' એમ ન બોલાય. કારણ કે પ્રણામ સમ્યગ્દષ્ટિને કરાય, મિથ્યાદષ્ટિને નહિ. “જય જિનેન્દ્ર” બોલવામાં પ્રણામ થતો નથી. જય જિનેન્દ્ર એટલે હે જિનેન્દ્ર ! આપ જય પામો. અન્ય ધર્મવાળાઓ સામે મળનાર વ્યક્તિને પરસ્પર “જયશ્રી કૃષ્ણ” એમ બોલતા જોઇને કેટલાક અજ્ઞાન જૈનો પણ અજ્ઞાનતાના કારણે જૈન સામે મળે તો “જય જિનેન્દ્ર” એમ બોલવા લાગ્યા છે. આ બરોબર નથી.
શંકા- ૧૧૪૩. ધાર્મિક માસિકમાં સંસારને પોષનારી જાહેરાત લેવાય ખરી? એવા સામાયિક સામાયિક-પૌષધમાં વાંચી શકાય ખરા ? સમાધાન– ધાર્મિક માસિકમાં સંસારને પોષનારી જાહેરાતો ન લેવી જોઇએ. આમ છતાં વર્તમાનમાં અસહ્ય મોંઘવારીના કારણે તેવી જાહેરાતો લીધા વિના માસિકના ખર્ચને પહોંચી વળાતું ન હોય અને એથી ન છૂટકે તેવી જાહેરાતો લેવી પડતી હોય, તો પણ કોઇ પણ ધાર્મિક માસિકે મિથ્યાત્વપોષક જાહેરાતો તો કોઇપણ સંયોગોમાં
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org