SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૫૩૧ શંકા- ૧૧૪૧. શંખેશ્વરની પાસેના સમી જેવા અનેક ગામોમાં ચતુર્વિધ સંઘભક્તિ તરીકે ફંડ થાય છે. એ ફંડમાંથી સાધુ-સાધ્વીજીના ટીફીન વિહારોમાં જાય છે. એ રીતે બીજા બધા સંઘો ફંડ કરે તો બધાને ચાલી શકે. ફંડનું નામ વેયાવચ્ચ ફંડ ન રાખતાં ભક્તિ ફંડ રાખવું જોઇએ શું ? સમાધાન– આવા ફંડની રકમમાંથી થયેલ ભોજન સાધુસાધ્વીજીની સાથે રહેલ મુમુક્ષુ ભાઇ-બહેનોને અને વંદનાર્થે આવનાર શ્રાવક-શ્રાવિકાને પણ ખપી શકે. ચતુર્વિધ સંઘભક્તિ ફંડ નામ રખાય તો સારું. શંકા- ૧૧૪૨. શ્રાવકને સાધર્મિક સામે મળે ત્યારે અને અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે ઔચિત્ય માટે શું બોલવું જોઇએ ? સમાધાન- શ્રાવકને સાધર્મિક સામે મળે ત્યારે બે હાથ જોડી પ્રણામ એમ બોલવું જોઇએ અને અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલી શકાય. અન્ય ધર્મવાળા સામે મળે ત્યારે ‘પ્રણામ' એમ ન બોલાય. કારણ કે પ્રણામ સમ્યગ્દષ્ટિને કરાય, મિથ્યાદષ્ટિને નહિ. “જય જિનેન્દ્ર” બોલવામાં પ્રણામ થતો નથી. જય જિનેન્દ્ર એટલે હે જિનેન્દ્ર ! આપ જય પામો. અન્ય ધર્મવાળાઓ સામે મળનાર વ્યક્તિને પરસ્પર “જયશ્રી કૃષ્ણ” એમ બોલતા જોઇને કેટલાક અજ્ઞાન જૈનો પણ અજ્ઞાનતાના કારણે જૈન સામે મળે તો “જય જિનેન્દ્ર” એમ બોલવા લાગ્યા છે. આ બરોબર નથી. શંકા- ૧૧૪૩. ધાર્મિક માસિકમાં સંસારને પોષનારી જાહેરાત લેવાય ખરી? એવા સામાયિક સામાયિક-પૌષધમાં વાંચી શકાય ખરા ? સમાધાન– ધાર્મિક માસિકમાં સંસારને પોષનારી જાહેરાતો ન લેવી જોઇએ. આમ છતાં વર્તમાનમાં અસહ્ય મોંઘવારીના કારણે તેવી જાહેરાતો લીધા વિના માસિકના ખર્ચને પહોંચી વળાતું ન હોય અને એથી ન છૂટકે તેવી જાહેરાતો લેવી પડતી હોય, તો પણ કોઇ પણ ધાર્મિક માસિકે મિથ્યાત્વપોષક જાહેરાતો તો કોઇપણ સંયોગોમાં For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy