SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ શંકા-સમાધાન પાત્ર ગણાય. હવે “ગૌતમ લબ્ધિ પેટી'ની જાહેરાત અંગે જણાવવાનું કે આનો ખુલાસો કલ્યાણ વર્ષ-૫૮, અંક-૯, ડિસે.૨૦૦૧ (પૃ.૬૫૫ માં) આવી ગયો છે. શંકા- ૧૧૩૮. વિધિમાં ૧૨-૫૧ વગેરે સાથિયા કરવાના હોય, તો દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરવાનો વિધિ છે? સમાધાન- દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલીને સિદ્ધશિલા કરવાની જરૂર નથી મુખ્ય એક સાથિયા ઉપર જ ત્રણ ઢગલી ને સિદ્ધશિલા કરવાની હોય છે. શંકા- ૧૧૩૯. સંઘની માલિકીનું બિલ્ડીંગ કે ઓફિસ (જેની સારી ઉપજ થાય તેવી) પોતાના સ્નેહીઓને ૨૦% જેટલી રકમમાં ઠરાવ કરીને ટ્રસ્ટીઓ આપી દે, આમાં જે રકમનું નુકસાન થયું તે નિમિત્તે ટ્રસ્ટીઓને પ્રાયશ્ચિત્ત આવે કે નહિ ? સમાધાન- સંઘને જેમ વધારે આવક થાય તેમ ટ્રસ્ટીઓએ કરવું જોઈએ. તેમ ન કરે તો ટ્રસ્ટીઓ દોષના ભાગીદાર બને. જેટલા અંશે દોષના ભાગીદાર બને તેટલા અંશે પ્રાયશ્ચિત્ત આવે. શંકા- ૧૧૪૦. પ્રભુએ અંગોપાંગ પરથી ઉતારેલાં અલંકારો હંસલક્ષણ વસ્ત્રમાં ગ્રહણ કરાય છે અને નિર્વાણ સમયે પ્રભુને હંસલક્ષણ વસ્ત્ર પહેરાવાય છે. તો આમાં હંસના ચિત્રનું મહત્ત્વ શું છે તે જણાવવા કૃપા કરશો. સમાધાન- અહીં હંસલક્ષણ શબ્દનો “હંસના ચિત્રવાળું વસ્ત્ર' એવો અર્થ ન કરતાં “હંસના જેવું અત્યંત શ્વેત વસ્ત્ર' એવો અર્થ કરવો જોઈએ. જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં મેઘકુમારના ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે, “લોચ કર્યા પછી તેના વાળ હંસલક્ષણ વસ્ત્રમાં લીધા”. આના આધારે અનુમાન કરી શકાય છે કે પૂર્વે આ વસ્ત્ર અત્યંત શ્રેષ્ઠ અને મૂલ્યવાન ગણાતું હતું અને મોટા ગણાતા લોકો જ આનો ઉપયોગ કરતા હતા. આથી પ્રભુજીના અલંકારો હંસલક્ષણ વસ્ત્રમાં ગ્રહણ કરાય અને નિર્વાણ સમયે પ્રભુજીને હંસલક્ષણ વસ્ત્ર પહેરાવાય એ સ્વાભાવિક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy