________________
૫૨૮
માધાન
પત્રિકાઓ દરિયા વગેરેના પાણીમાં પધરાવી દેવામાં આવે છે. આમ કરવાથી જ્ઞાનની ઘણી આશાતના થાય છે. આવા કારણોથી કેટલાક મહાત્માઓ મહોત્સવમાં સંઘપત્રિકા છાપવાનું કહે તો પણ ના પાડી દેતા હોય છે.
આનો અર્થ એ તો નથી જ થતો કે પત્રિકાઓ ન છપાવવી. કોઈ વિશિષ્ટ પ્રસંગોમાં પત્રિકાઓ છપાવવી એ પણ શ્રાવકોનું કર્તવ્ય બની જાય છે. જેમકે ઉપધાન વગેરે પ્રસંગે પત્રિકા જરૂરી ગણાય. હવે પત્રિકાઓ કેવી હોવી જોઇએ એ અંગે વિચારીએ. સંઘ કે કોઈ વ્યક્તિ અન્ય સાધર્મિકોને અને સંઘોને પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવે છે. સાધર્મિકો અને સંઘો પૂજનીય છે, બહુમાન કરવાને યોગ્ય છે. એટલે તેમને આમંત્રણ પત્રિકા સુશોભિત મોકલવી જોઇએ. પણ તેમાં વિવેક હોવો જોઇએ. પત્રિકા વધારે કલરમાં હોય તો જ સુશોભિત બને એવો કોઈ નિયમ નથી. જેટલા કલર વધારે તેટલો ખર્ચ વધારે થવાનો તથા લખાણ વધે તેટલા પ્રમાણમાં પૂર્વે કહ્યું તેમ જ્ઞાનની આશાતના પણ વધે. ચોરસ કાર્ડ પત્રિકા રૂપે છપાવાય તોય ચાલે અને ઘણો ખોટો ખર્ચ બચી જાય.
હવે તો પત્રિકાઓમાં ફોટાઓ પણ આવવા માંડ્યા છે. પત્રિકામાં રહેલા ફોટાના નાશથી જીવહિંસાનું પાપ લાગે એમ બહુ ઓછા જાણતા હશે. પત્રિકામાં છપાયેલા ફોટાઓનો ટૂંક સમયમાં જ અવશ્ય નાશ થાય છે. પત્રિકાઓમાં ઉપકારી માતા-પિતાના ફોટા છપાવવામાં માતા-પિતાની ભક્તિ નથી, કિંતુ આશાતના છે. દીક્ષાની પત્રિકાઓમાં મુમુક્ષુઓના ફોટા છપાવવા એ પણ જરા ય ઉચિત નથી. હવે તો પત્રિકાઓમાં ગુરુઓના પણ ફોટાઓ છપાવવાનું શરૂ થયું છે.
આજે બિનજરૂરી પત્રિકા વગેરેનો પ્રવાહ એટલો બધો વહેતો થઇ ગયો છે કે જેથી મારા આ લખાણની અસર કેટલી થશે એ પણ પ્રશ્ન છે. કોઈને અસર થાય કે ન થાય, પણ સત્ય કહેવું એ જરૂરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org