SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ શંકા-સમાધાન બે ભેદ છે. જેમાં દરરોજ જીવોની બહુ હિંસા થતી હોય તેવા સ્થાનો કર્માદાન ગણાય અને જેમાં અલ્પ હિંસા થતી હોય તેવા સ્થાનો અકર્માદાન છે. તેમાં શ્રાવકોને કર્માદાનના ધંધા કરવાનો ભગવાને નિષેધ કર્યો છે. એથી ભગવાને જે ધંધાનો નિષેધ કર્યો હોય તેવા ધંધાના સ્થાનો સાથે અરિહંતનું નામ જોડવું એ યોગ્ય જણાતું નથી. કારણ કે જેનો ભગવાને નિષેધ કર્યો છે તેની સાથે ભગવાનનું નામ જોડવું એ તેમની આશાતના રૂપ ગણાય. બાકીનાં સ્થાનોમાં કે ઘર વગેરેની સાથે “ભગવાનની સ્મૃતિ રહે” ઇત્યાદિ આશયથી ભગવાનનું નામ જોડવામાં બાધ જણાતો નથી. છતાં તેમાં પણ ભગવાને જે વસ્તુ ત્યાજ્ય કહી હોય તેનો વેપાર ન કરવો જોઇએ. દા.ત. કોઈ “મહાવીર જનરલ પ્રોવિઝન સ્ટોર્સ” એવું દુકાનનું નામ રાખે. તો તેણે કાંદા-બટાકા વગેરેનો તથા જીવ-જંતુને મારવાની દવા વગેરેનો વેપાર ન કરવો જોઈએ તથા ઘર વગેરેની સાથે અરિહંતનું નામ જોડે તો ઘરમાં અભક્ષ્ય ભક્ષણ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે અરિહંત પરમાત્માની સ્મૃતિ રહે, ધર્મની વૃદ્ધિ થાય અને પાપ ઘટે એવા આશયથી પોતાના બંગલાનું “અરિહંત છાયા” એવું નામ રાખે, તો એ બંગલામાં અભક્ષ્યભક્ષણ વગેરે ન થવું જોઇએ. શંકા- ૧૧૨૮. આવતી ચોવીસીમાં રોહિણીનો જીવ સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર થશે. આ જીવ શ્રીવાસુપૂજ્ય સ્વામીજીની આરાધના કરીને વર્તમાનમાં બીજા દેવલોકમાં વિદ્યમાન છે તે જ છે કે બીજો કોઈ ? સમાધાન- આ જીવ શ્રીકૃષ્ણ મહારાજાના ભાઇ બલભદ્રની માતા રોહિણીનો જીવ સમજવો. શંકા- ૧૧૨૯. તીર્થકર સિવાય બીજા જીવો અવધિજ્ઞાન લઇને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈ શકે ? સમાધાન થઈ શકે. (વિ.પ્ર.વિ. પહેલો પ્ર.૧૩૨) શંકા-૧૧૩૦. સામાયિક આદિ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાં પ્રવેશતા નિસાહિ કહે,પણ નીકળતા આવસ્યહિ કહે કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy