________________
શંકા-સમાધાન
શંકા- ૧૧૨૫. શ્રી ગૌતમસ્વામીજીને ભગવાનના નિર્વાણની ખબર ક્યારે પડી ?
૫૨૪
સમાધાન– શ્રી ગૌતમસ્વામીજી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને ભગવાન શ્રી મહાવીરસ્વામીની પાસે આવી રહ્યા હતા, ત્યારે આકાશમાં દેવોને જોઇને અને ભગવાન નિર્વાણ પામ્યા એવા દેવોના સંલાપને સાંભળીને શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એમ જાણ્યું. તેમણે સૂર્યોદય પહેલાં અજવાળું થતાં વિહાર કર્યો અને વિહાર કર્યા પછી તુરત જ સૂર્યોદય પહેલાં તેમને શ્રીમહાવીર સ્વામીના નિર્વાણની ખબર પડી. આ ખબર પડતા જ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામ્યા અને દેવોએ તેમના કેવળજ્ઞાનનો મહિમા કર્યો. આમ શ્રી ગૌતમસ્વામીને કાર્તિક સુદ ૧ ના રોજ સૂર્યોદય પહેલાં કેવળજ્ઞાન થયું એમ કહી શકાય. (ઉપદેશપ્રાસાદ ગ્રંથના ૨૧૧માં વ્યાખ્યાનમાં ગૌતમસ્વામીને અમાવાસ્યાની રાત્રિના પ્રાંતભાગે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એવો પાઠ છે.)
શંકા- ૧૧૨૬. શ્રી મહાવીર સ્વામી ભગવાને શ્રી ગૌતમસ્વામીજીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ ક૨વા માટે ક્યારે મોકલ્યા ? સમાધાન– ભવિષ્યકાળમાં થનારા ભાવો કહ્યા પછી ભગવાન મહાવીર સ્વામી સમવસરણમાંથી નીકળીને હસ્તિપાલ રાજાની શુલ્ક શાળામાં પધાર્યા છે. પછી રાતે પોતાના મોક્ષને જાણીને શ્રી ગૌતમસ્વામીજીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મોકલ્યા છે. આથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે શ્રી મહાવીર સ્વામીએ અમાસના દિવસના છેલ્લા પ્રહરમાં શ્રી ગૌતમસ્વામીજીને મોકલ્યા હોય એમ સંભવે છે
શંકા- ૧૧૨૭. દુકાન, પેઢી કે ઇન્ડસ્ટ્રીઝ વગેરેની સાથે અરિહંત, મહાવીર, પાર્શ્વનાથ વગેરે નામો જોડી શકાય ? જેમ કે મહાવીર ઇન્ડસ્ટ્રીઝ, પાર્શ્વનાથ ફાર્મ.
સમાધાન– દુકાન, પેઢી કે ઇન્ડસ્ટ્રીઝ વગેરે ધન મેળવવા માટે ધંધાના સ્થાનો છે. ધંધાના સ્થાનોના કર્માદાન અને અકર્માદાન એવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org