SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૫૨૧ સમાધાન– પત્રવણાસૂત્રના પ્રથમપદમાં સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિના ૧૪ સ્થાનો જણાવ્યા છે. તેના આધારે એંઠા ભોજનમાં, મળમાં, મૂત્રમાં અને કાપના મલિન પાણી વગેરેમાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ માનવામાં આવે છે. પક્ષવણાસૂત્રમાં તથા તેની પૂ. આચાર્ય શ્રીમલયગિરિ સૂરિ મહારાજ કૃત ટીકામાં કેટલા સમય બાદ સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય એમ જણાવવામાં આવ્યું નથી. પણ બે ઘડી પછી સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય તેવી માન્યતા વર્તમાનમાં પ્રસિદ્ધ છે. પ્રશ્નકારે યુક્તિ આપો' એમ લખ્યું છે. આ અંગે જણાવવાનું કે, જૈનશાસનમાં શ્રદ્ધાગમ્ય અને યુક્તિગમ્ય એમ બે પ્રકારના પદાર્થો છે. તેમાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ અને બે ઘડી બાદ સંમૂર્છિમ જીવોની ઉત્પત્તિ એ પદાર્થ શ્રદ્ધાગમ્ય (આગમગમ્ય) છે. શંકા-૧૧૧૭. અષ્ટમંગલની પાટલી દરવાજા ઉપર લગાડી શકાય ? સમાધાન– લગાડી શકાય. શાસ્ત્રમાં પ્રતિમાના ભક્તિ પ્રતિમા, મંગલ પ્રતિમા અને શાશ્વત પ્રતિમા એમ પ્રકાર જણાવ્યા છે. તેમાં ઘરના બારણા (બારસાખ)માં મંગલ માટે કરાવાતી પ્રતિમા મંગલ પ્રતિમા છે. જો આ રીતે દરવાજા ઉપર પ્રતિમા કોતરાવી શકાય છે, તો અષ્ટમંગલની પાટલી લગાડવામાં શો બાધ હોય ? ખરેખર તો શ્રાવકો બારશાખમાં જિનમૂર્તિ કરાવે એ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે તેનાથી નવા આવનાર શ્રાવકને કે સાધુ-સાધ્વીજીને ખ્યાલ આવી જાય કે આ જૈનનું ઘર છે. શંકા- ૧૧૧૮. સાધર્મિક સામે મળે તો અરસ-પરસ બે હાથ જોડી જય જિનેન્દ્ર કહેવું જોઇએ કે પ્રણામ કહેવું જોઇએ ? સમાધાન– સાધર્મિક સામે મળે તો પરસ્પર બે હાથ જોડી ‘પ્રણામ’ એમ કહેવું જોઇએ. અન્યધર્મી સામે મળે ત્યારે ઔચિત્ય ખાતર બોલવું પડે તો જય જિનેન્દ્ર કહેવું યોગ્ય છે. પ્રણામ એટલે નમસ્કાર. સમ્યગ્દષ્ટિએ(=સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે. એવી શ્રદ્ધા ધરાવનારને) નમસ્કાર કરી શકાય, મિથ્યાદષ્ટિને નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy