________________
શંકા-સમાધાન
૫૧૯ વિમાનોમાં, સ્વર્ગની પુષ્કરણીઓમાં (વાવડીઓમાં), તિચ્છ લોકમાં કૂવાઓમાં અને નદી વગેરેમાં, શાશ્વત-અશાશ્વત સર્વ જળાશયોમાં તથા દીપ-સમુદ્રોમાં બાદર અપ્લાયનો સંભવ છે. શંકા- ૧૧૧૩. અંગુઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર,
શ્રી ગુરુગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. આ દુહાનો વ્યવહાર અને નિશ્ચયનયથી શો અર્થ થાય ? સમાધાન- નિશ્ચયનયથી અર્થ આ પ્રમાણે થાય. શ્રી ગૌતમસ્વામીના આત્મામાં ક્ષાયિક જ્ઞાનરૂપ અમૃત વસે છે અને ક્ષાયિક દાનાદિ લબ્ધિઓ રહેલી છે. વાંછિત ફળને આપનારા શ્રી ગૌતમસ્વામીનું ક્ષાયિકજ્ઞાન રૂપ અમૃતને અને ક્ષાયિક દાનાદિ લબ્ધિઓને પ્રાપ્ત કરવા માટે આપણે સ્મરણ કરીએ. વ્યવહારનયથી અર્થ આ પ્રમાણે છે- શ્રી ગૌતમસ્વામીના હાથના અંગુઠામાં લબ્ધિરૂપ અમૃત હતું કે જેથી એ અંગુઠો જે પાત્ર ઉપર મૂકે તે પાત્રમાં રહેલી વસ્તુ ખૂટે નહિ તથા શ્રી ગૌતમસ્વામી આકાશમાં ગમન વગેરે લબ્ધિઓના ભંડાર હતા, તેથી વાંછિત ફળને આપનારા શ્રી ગૌતમસ્વામીનું આપણે સ્મરણ કરીએ.
શંકા- ૧૧૧૪. ધરતીકંપનું કારણ શાસ્ત્રદષ્ટિએ શું હોઈ શકે ? પાતાળ કળશાઓમાં વાયુના પ્રકોપને કારણે કે લવણ સમુદ્રમાં ભરતી આવે છે તેમ પૃથ્વીના પોલાણમાં ક્યાંક વાયુના પ્રકોપને કારણે ભૂકંપ સર્જાવાનો સંભવ ખરો ?
સમાધાન- સ્થાનાંગ સૂત્ર ત્રિસ્થાનક અધ્યયનના ચોથા ઉદ્દેશા (સૂ.૧૯૮)માં ધરતીકંપનાં કારણો નીચે મુજબ જણાવ્યા છે- ત્રણ કારણોથી પૃથ્વી કોઈ અમુક વિભાગમાં ચલિત થાય છે તે આ પ્રમાણે- (૧) આ રત્નપ્રભા પૃથ્વીના બાદર પુદ્ગલો (યંત્રથી ફેંકેલા પથ્થરની જેમ) વિગ્નસા પરિણામથી (વિશેષ કારણ વિના કુદરતી રીતે) પડે, એટલે કે રત્નપ્રભા પૃથ્વીમાંથી કેટલાક પુગલો છૂટા થાય, અથવા કેટલાક પુદ્ગલો બીજા સ્થળેથી આવીને રત્નપ્રભા પૃથ્વીમાં લાગી જાય-ચોંટી જાય, પડતા આ યુગલો પૃથ્વીના અમુક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org