________________
શંકા-સમાધાન
૫૧૭
એવી છે કે જે સાક્ષાત્ પાપનું કારણ બનતી નથી. જેમ કે વસ્ત્ર, ભોજન વગેરે. અમુક વસ્તુઓ સાક્ષાત્ પાપનું કારણ બને છે, જેમ કે ભૂમિદાન. ભૂમિ સાક્ષાત્ પાપનું કારણ છે. ભૂમિ ખેતી કરવા માટે છે. ખેતી હિંસા વિના ન થાય. જે વસ્તુ સાક્ષાત્ પાપનું કારણ ન બને તે વસ્તુનું અનુકંપાદાન કરી શકાય. આથી જ જૈનધર્મમાં ગરીબ વગેરેને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરવાનો નિષેધ નથી. બલ્ક દાન કરવાનું વિધાન છે. ગરીબોને દયાભાવથી કરાતા ભોજનવસ્ત્ર વગેરેના દાનને શાસ્ત્રમાં શાસનપ્રભાવનાનું કારણ કહ્યું છે, પણ જૈન શાસ્ત્રમાં ભૂમિદાન, ગાયદાન, કન્યાદાન વગેરેનો નિષેધ છે. કેમકે સાક્ષાત્ પાપનું કારણ છે. તેવી રીતે ચક્ષુદાન સાક્ષાત્ પાપનું કારણ છે. કારણ કે ચક્ષુ મળવાથી તે જીવ આંખ દ્વારા ટી.વી. દર્શન વગેરે અનેક પાપો કરનારો બને છે. માટે ચક્ષુદાન અનુકંપાદાન ન ગણાય. એથી જૈનોએ સામે જઈને ચક્ષુદાન ન કરવું જોઇએ.
આમ છતાં કોઇ તેવા વિશિષ્ટ પ્રસંગે દેહદાન-ચક્ષુદાન કરી પણ શકાય. જેમ કે કોઈ સાધુ મહાત્માને કીડનીની જરૂર છે અથવા કોઈ ધર્માત્મા શ્રાવકને કીડની વગેરેની જરૂર છે અથવા કોઈ માણસ યોગ્ય હોવાથી ચક્ષુ આદિના દાનથી જૈનધર્મ પામે તેવો હોય તો તેવાને ચક્ષુ આદિનું દાન કરી શકાય.
આ પ્રમાણે આ પ્રશ્નનો ઉત્તર મને જે યોગ્ય જણાયો તે આપ્યો છે. આમ છતાં આ વિષે ગીતાર્થ ગુરુભગવંતો વિચાર-વિનિમય કરીને શાસ્ત્ર સાપેક્ષ જે નિર્ણય કરે તે આપણે માન્ય કરવો જોઈએ. શંકા- ૧૧૧૦. શ્રાવકો ચક્ષુદાન કરી શકે ? સમાધાન- આ અંગે પૂર્વે વિસ્તારથી લખાયું છે. એનો સાર એ છે કે આજે રક્તદાન અને ચક્ષુદાનમાં ભ્રષ્ટાચાર વગેરે પાપનું પોષણ થઈ રહ્યું છે, આથી પણ ચક્ષુદાન કરવું યોગ્ય નથી. હવે પ્રશ્ન એ થાય છે કે ભ્રષ્ટાચાર વગેરે પાપનું પોષણ ન થાય તે રીતે શ્રાવક ચક્ષુદાન કરી શકે કે નહિ ? આ વિષે જણાવવાનું કે શાસ્ત્રોક્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org