SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શંકા-સમાધાન (૯) વાત આટલેથી અટકતી નથી. હવે રક્તદાન, ચક્ષુદાન પછી વીર્યદાન ઉપર વાત આવી છે. સમગ્ર સંસ્કૃતિના મૂળિયા એક સાથે ઉડાવી દેવા આવા ગતકડાઓ બહાર પડતા હોય છે. જે બાળક જન્મે એને ખબર જ ન હોય કે એનો પિતા કોણ છે ? આથી વધુ ભયંકર બીજું શું હોઇ શકે ? ચાર પુરુષાર્થની અપ્રતિમ સુંદર વ્યવસ્થાનો આમાં ખાત્મો બોલાવવામાં આવે છે. (૧૦)રક્તદાનના ક્ષેત્રે ભ્રષ્ટાચારના ‘સ્ટોપ પ્રેસ' રિપોર્ટો તો ચોંકાવી દે તેવા છે. મધ્યપ્રદેશમાં ભોપાલમાં એક આખી ટોળકી રક્તદાનના દલાલોની ફરે છે. તેઓ આવા ધંધાદારી રક્ત દેનારાઓને આકર્ષે છે અને જેમ ડ્રગ એડીક્ટ થઇ જાય તેમ તેઓ એક ઇન્જેકશન આપીને બ્લડ ડોનેશન એડીક્ટ ઊભા કરે છે. આ દાનવીર વારંવાર જ્યાં સુધી ૧ બોટલ લોહી ન આપે ત્યાં સુધી તેને ચેન નથી પડતું. છેલ્લાં ૩/૪ વર્ષમાં ૪૦૦ વખત લોહી આપેલા ૨૭ વર્ષીય ગિરીશ અને ૨૬ વર્ષનો સલીન (સમાંતર ૦૪-૦૭-૧૯૯૬, પેજ નંબર૧૫) શખ્સ આજે ચાલી નથી શકતો. છતાં લોહી આપ્યા વગર એને ચેન નથી પડતું. વૈવાહિક જીવન ખલાસ થઇ ગયું છે. મોટી મલાઇ તો વચ્ચેના ડૉકટરો અને દલાલો ખાઇ ગયા પછી માત્ર ૧૦૦ રૂા. ૧ બોટલના એને મળે છે, જેમાં એનું દળદર તો ફીટ્યું નથી, પણ પોતાનો અંત નજીકમાં નિશ્ચિત છે એ એને સમજાઇ ગયું છે. (“જૈનં જયતિ શાસનં” શ્રેણિ ક્રમાંક-૧૨માંથી સાભાર ઉદ્ધૃત) આમ દેહદાન કે ચક્ષુદાન કરવું એટલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું. હવે બીજી વાત. જૈનધર્મમાં અનુકંપાદાનનો નિષેધ નથી. પણ ચક્ષુદાનનો અનુકંપાદાનમાં સમાવેશ ન થાય. કારણ કે જે વસ્તુ સાક્ષાત્ પાપનું કારણ બને તેવી વસ્તુનું દાન કરવાનો જૈનધર્મમાં નિષેધ છે. દાન કરવા યોગ્ય વસ્તુ બે પ્રકારની છે. અમુક વસ્તુઓ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy