________________
શંકા-સમાધાન
૫૧૫
થોડા સમય પૂર્વે એક જ ગામના ૧૨ બાળકો એક સાથે ગુમ થઇ ગયા. તે બધાનું શું થયું તે જાણવા મળ્યું નથી. હવે તો એક-એક અંગનો વેપાર થાય છે. ૧ બાળકના બધા અંગોની કુલ કિંમત ૧,૨૧,૦૦૦ રૂા. થાય છે એવું ગુજરાત સમાચારે હમણાં જ એક લેખમાં પ્રતિપાદન કરેલું. બિહારમાં એક જીવીબાઇ ૧ આંખ આપી ૩૦,૦૦૦ રૂા. લઇ આવી. તે પછી એ જ ગામની ૩૦ બાઇઓ આ ૩૦,૦૦૦ રૂ।. કમાવા પોતાની ૧/૧ આંખ મર્યા પહેલાં જ દાનમાં આપી આવી. ‘પાયોનિયર’ના રિપોર્ટર જણાવે છે કે જેટલા ચક્ષુઓનું દાન થાય છે તેમાંથી ૮૫ ટકા ફેંકી દેવા પડતા હોય છે અને બાકી ૧૫ ટકામાં પણ અનેક ગેરરીતિઓ ચાલતી હોય છે. (૬) આયુર્વેદના અચ્છા જાણકાર વિંછીયાના એક વૈદ્યરાજે તો ચોંકાવનારી વાત કહેલી કે, એક માણસના શરી૨માંના વાત, પિત્ત અને કફ બીજા માણસના શરીર સાથે ક્યારેય ‘મેચ’ થતાં નથી. એથી એકનું લોહી બીજાને દેવાથી શરી૨માં અસમતુલા (ઇમ્બેલેન્સ) ઊભી થતી હોય છે. ભવિષ્યમાં અનેક રોગો આનાથી વકરતા હોય છે.
(૭) એક વૈદ્યરાજે મજેની વાત કરેલી કે કુદરતની ગોઠવણી એવી હોય છે કે જ્યારે શરીરમાંથી લોહી નીકળે ત્યારે હંમેશા પહેલા અશુદ્ધ લોહી જ બહાર નીકળતું હોય છે. શુદ્ધ લોહી તો થોડું ઘણું પણ બહાર પડે તો માણસ તત્કાળ બેભાન બની જતો હોય છે. એટલે આવા બધા અનુદાનોના બાટલાઓ બગડેલા લોહીથી જ ભરેલા હોવાની ખૂબ જ શક્યતા છે. (૮) રક્તદાનની તરફેણવાળા બીજું એક ‘તિકડમ્’ ચલાવતા હોય છે કે હમણાં લોહી આપો અને ૨૪ કલાકમાં તમારા શરીરમાં એટલું નવું લોહી બની જશે. આ એક ગોબેલ્સ (જુઠાણું) છે. આજ ખાધેલા ખોરાકમાંથી ૭ ધાતુ ક્રમશઃ દર અઠવાડિયે બને છે એટલે ખોરાકના રસ અને ૨ક્ત બનતાં ૧૪ દિવસ થાય છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org