________________
૫૧૦.
શંકા-સમાધાન બહારથી આ ધર્મપ્રવૃત્તિ અને શાસન પ્રભાવના માટે કરીએ છીએ એમ કહે. પણ અંતરમાં મલિન આશય હોય એવું પણ બને.
હવે આપણે મૂળ પ્રશ્ન અંગે વિચારીએ- આ રીતે કુમારપાળ બનીને આરતી ઉતારવાની પ્રવૃત્તિ યોગ્ય જણાતી નથી. કારણ કે
ક્યાં જીવદયા, મહાન શાસનપ્રભાવના અને ચુસ્ત આચારપાલન વગેરે ગુણોના ભંડાર કુમારપાળ મહારાજા અને ક્યાં આજના શ્રાવકો? એવું પણ જોવા-જાણવા મળ્યું છે કે આવા પ્રસંગે ચતુર્વિધ સંઘ કુમારપાળ બનનાર શ્રાવકને લેવા માટે તેના ઘરે જાય છે. જો આ સાચું હોય તો આ કેટલું ઉચિત છે તે વિચારવા જેવું છે. તેમાં પણ સાધુઓ કુમારપાળ બનનારને લેવા માટે જાય એ તો તદ્દન અનુચિત ગણાય. વળી અંધારું થયા પછી આરતી ઉતારે અને તેમાં સાધુઓની હાજરી હોય તો જરાય ઉચિત ન ગણાય. અંધારું થઈ ગયા પછી મંદિરમાં સાધુઓની ઉપસ્થિતિ જરાય યોગ્ય નથી. મહાપૂજા વગેરે પ્રસંગે પણ અંધારું થયા પછી મંદિરમાં સાધુઓની ઉપસ્થિતિ જરા પણ ઉચિત નથી.
અહીં પ્રશ્ન થાય કે તો પછી સ્નાત્ર પૂજામાં ઈન્દ્ર બને છે, અંજનશલાકા વિધિમાં માતા-પિતા વગેરે બને છે તેનું શું? આ વિષે જણાવવાનું કે સ્નાત્રપૂજા અને અંજનશલાકા વગેરે શાસ્ત્રવિહિત છે. કુમારપાળની આરતી(કુમારપાળ બનીને ઉતારાતી આરતી) શાસ્ત્રવિહિત નથી, નવી શરૂ કરવામાં આવી છે. પડતા કાળમાં આવી નવી પ્રવૃત્તિ વધારવી એ પરિણામની દષ્ટિએ હિતકર જણાતું નથી.
જેઓ સ્નાત્રપૂજામાં ઇન્દ્ર બને કે અંજનશલાકામાં માતા-પિતા બને તેમણે પોતાની જવાબદારીને સમજીને રાત્રિભોજન અને અભક્ષ્યભક્ષણ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. એક આદર્શ જૈનને છાજે તેવું જીવન જીવવું જોઇએ. માતા-પિતા વગેરેની બોલી બોલાય ત્યારે સાધુઓએ પણ તેમને વિસ્તારથી પોતાની જવાબદારીનું ભાન કરાવવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org