________________
શંકા-સમાધાન
૫૦૭ સ્થાનકવાસી અને દિગંબર વગેરે પંથોએ સર્વજ્ઞના અનેક સિદ્ધાંતોનો અપલાપ કર્યો છે, માટે સાચા નથી. તપગચ્છ સર્વજ્ઞના સિદ્ધાંતોનો અપલાપ કર્યો નથી માટે સાચો છે. વળી પ્રભુથી ચાલી આવતી પરંપરાનું તપગચ્છ એવું નામ પાછળથી પડ્યું હોવા છતાં શ્રી મહાવીર ભગવાનથી પ્રારંભાયેલી પરંપરાનો અણીશુદ્ધ વધુમાં વધુ વારસો તપગચ્છમાં સચવાયો છે. આ વિષે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્વરચિત સાડાત્રણસો ગાથાના સ્તવનની સોળમી ઢાળમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે–
શુદ્ધ વ્યવહાર છે ગચ્છિિરયા થિતિ, દુષ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ | તેહ સંવિગ્ન ગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે ના શાસ્ત્ર અનુસાર જે નવિ હઠે તાણિયે, નીતિ તપગચ્છની તે ભલી જાણીયે | જીત દાખે જિહાં સમય સારૂ બુધા, નામ ને ઠામ મુમતે નહીં જસ મુધા / ૧૮. નામ નિગ્રંથ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડ પાટ લગે ગુરુગુણે સંગ્રહ્યું ! મંત્ર કોટી જપી નવમ પાટે યદા, તેહ કારણ થયું નામ કોટિક તદા (૧૯ પનરમે પાટે શ્રી ચંદ્રસૂરે કર્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું ! સોલમે પાટ વનવાસ નિર્મમમતિ, નામ વનવાસી સામંતભદ્રો યતિ | ૨૦ગા. પાટ છત્રીસમેં સર્વદિવાભિધા, સૂરિવડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા | વડતલ સૂરિપદ આપીઉં તે વતી, વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ /૨૧૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org