________________
શંકા-સમાધાન
સમાધાન– મહાવીર પરમાત્માના શાસનમાં બે હજાર ને ચાર યુગપ્રધાન થયા છે તેમાંથી સુધર્માસ્વામી અને જંબુસ્વામી એ બે મોક્ષમાં ગયા છે. બાકીના બધા યુગપ્રધાન એકાવતારી છે. શ્રુતકેવલી બધાય એકાવતારી હોય તેવો નિયમ નથી. શ્રુતકેવલી પણ જો પ્રમાદમાં પડી જાય, તો અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરનારા બની જાય એવું પણ બને. આ વિશે જ્ઞાનસારના કર્મવિપાક અષ્ટકમાં કહ્યું છે કે, ‘ઉપશમ શ્રેણીમાં અગિયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલાઓને અને ચૌદ પૂર્વધરોને પણ દુષ્ટકર્મ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે છે.” આ હકીકત આપણને સદા ય અપ્રમત્ત બનવાનો બોધ આપે છે.
૫૦૬
શંકા- ૧૧૦૧. શ્રીયકના પિતા જૈન હતા, તો રાજાને ભેટ આપવા માટે હથિયાર જેવી હિંસા કરનારી વસ્તુ કેમ પસંદ કરી ? એ ભેટની પાછળ ઉદ્દેશ શું હોઇ શકે ?
સમાધાન– શ્રીયકના પિતા જૈન હતા તેથી રાજાને ભેટ આપવા માટે હથિયાર જેવી હિંસા કરનારી વસ્તુ પસંદ ન કરી હોત તો સારું હતું. પણ તેમણે એવી પસંદગી કરી તો તેની પાછળ રાજાને ભેટ આપવાની વસ્તુ રાજાને યોગ્ય હોવી જોઇએ અને હથિયારો જ રાજાને ભેટ આપવાની શ્રેષ્ઠ વસ્તુ છે.” એવો ઉદ્દેશ હોવો જોઇએ.
શંકા- ૧૧૦૨, જેમ સ્થાનકવાસી અને દિગંબર વગેરે પંથ પાછળથી સ્થપાયા એમ તપગચ્છ શબ્દ પણ પાછળથી આવ્યો નથી શું ? તો આપણો જ પંથ સાચો એમ કેવી રીતે મનાય ?
સમાધાન કોઇ પણ પંથની સત્યતાનો આધાર પંથનું નામ નથી, પણ પંથમાં રહેલા સિદ્ધાંતો છે. નામ ગમે તે હોય પણ જે પંથમાં સિદ્ધાંતો સાચા હોય તે પંથ સાચો છે. હવે એ પ્રશ્ન થાય કે કયા સિદ્ધાંતો સાચા છે ? આનો જવાબ એ છે કે સર્વજ્ઞે કહેલા સિદ્ધાંતો સાચા છે. માણસ અજ્ઞાનતા, રાગ અને દ્વેષ એ ત્રણ કારણોથી અસત્ય બોલે. સર્વજ્ઞમાં આ ત્રણ દોષો ન હોય. આથી સર્વજ્ઞ જે કંઇ કહે તે સત્ય જ હોય. આથી સર્વજ્ઞે કહેલા સિદ્ધાંતો સત્ય છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org