SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૫૦૫ સમયે સમ્યગ્દર્શનના અભાવની માગણી કરવી, આ રીતે પણ એક વાર સમ્યગ્દર્શન ગુમાવ્યું, એટલે ફરી ક્યારે મળે તે કહી શકાય નહિ. બીજી વાત– મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ મળે, એટલા માત્રથી મોક્ષ મળી જ જાય, એવો નિયમ નથી. જેમ મહાવિદેહ ક્ષેત્રમાંથી સદા મોલમાં જઈ શકાય છે, તેમ સદા નરક વગેરે દુર્ગતિમાં પણ જઈ શકાય છે. ધર્મ પામેલા આત્માઓ પણ સાવધ ન રહે, તો મહાવિદેહ ક્ષેત્રમાંથી પણ નરક વગેરે દુર્ગતિમાં જાય. કંડરીક મુનિ મહાવિદેહ ક્ષેત્રમાંથી જ ચારિત્ર લેવા છતાં સાવધ ન રહેવાથી રસલોલુપતાથી રૌદ્રધ્યાન કરીને સાતમી નરકમાં ગયા. આથી સદા સાવધ રહેવું એ મહત્ત્વનું છે. (૧) અંતરમાં “મને જલદી મોક્ષ મળે” એવી દઢભાવના સતત રાખવી જોઇએ. (૨) તથા મોક્ષની જે સામગ્રી મળી હોય, તેનો અધિક અધિક ઉપયોગ કરતા રહેવું જોઇએ. આ બેના પ્રભાવથી જલદી મોક્ષની પ્રાપ્તિ થાય. સાવધ રહેનાર આત્મા દેવલોકમાં પણ મોક્ષગતિને નિકટ બનાવી શકે છે. ત્રીજી વાત– જો મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ મળવા માત્રથી નક્કી મોક્ષ મળી જતો હોય, તો “જયવીયરાય” સૂત્રમાં બીજી માગણીઓની જેમ “મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ થાઓ” એવી માગણી પણ મૂકી હોત. ચોથી વાત- અનેક મહાપુરુષોએ આત્મહિત માટે અનેક માગણી કરી છે. તેમાંથી કોઈ મહાપુરુષે મને આવતા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો ભવ મળે એવી માગણી કરી નથી. વળી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરકુળ મળે, એટલા માત્રથી પણ મોક્ષ મળી જ જાય એવો નિયમ નથી. મરીચિને તીર્થકરકુળ મળ્યું હતું. આમ છતાં તેમને મુક્તિ મળી? ન મળી, ઉપરથી સંસારવૃદ્ધિ થઈ. શંકા- ૧૧૦૦. યુગપ્રધાન અને શ્રુત કેવલી બધાય એકાવનારી હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy