________________
૫૦૪
શંકા-સમાધાન
જણાય તો લે પણ ખરા. આમ તેમના માટે રાજપિંડ ન જ કલ્પે એમ નિયત આચાર નથી. જ્યારે પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ માટે રાજપિંડ ન કલ્પે એમ નિયત આચાર છે.
જેના મસ્તકે રાજ્યાભિષેક થયો હોય અને સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી, પ્રધાન, સાર્થવાહ એ પાંચની સાથે રાજ્યનું પાલન કરે તે રાજા કહેવાય. તેનો પિંડ તે રાજપિંડ. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ એમ આઠ પ્રકારનો રાજપિંડ છે. રાજાની આ આઠ વસ્તુઓ પહેલા અને છેલ્લા જિનેશ્વરોના સાધુઓને ન કલ્પે.
આમ આદિનાથ ભગવાને ઇક્ષુરસથી પારણું શ્રેયાંસકુમારને ત્યાં કર્યું તેમાં કોઈ દોષ નથી. આમાં બીજી પણ એક વાત છે કે તીર્થંકરોનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે, અર્થાત્ તીર્થંકરો પોતાને જ્ઞાનમાં જે યોગ્ય જણાય તે પ્રવૃત્તિ કરે. એટલે તેમના માટે “તેમણે આમ કેમ કર્યું” એ પ્રશ્નને અવકાશ રહેતો નથી. સાધુઓનું જીવન જિનાજ્ઞાપ્રધાન હોય છે અને તીર્થંકરોનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે.
શંકા- ૧૦૯૮. કોઇ વ્યક્તિ ધર્મકાર્ય કરતી હોય ત્યારે બીજા એને નિષ્ફળ બનાવવા અથવા વિઘ્ન કરવા ધર્મના મંત્ર-તંત્ર કરે તો એકના ધર્મકાર્ય પર બીજાના ધર્મના મંત્રની અસર થાય ?
સમાધાન– જેના ઉપર મંત્ર-તંત્રનો પ્રયોગ કરવામાં આવે તેનામાં જો પ્રતિકારશક્તિ ન હોય તો અસર થાય.
શંકા— ૧૦૯૯. આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો મળે અને તીર્થંકર કુળ મળે એમ માગી શકાય ?
સમાધાન— આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો મળે એમ માગણી ન કરી શકાય. કારણ કે મનુષ્યોને મનુષ્યગતિનું આયુષ્ય સમ્યગ્દર્શનના અભાવમાં જ બંધાય. સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં મનુષ્યગતિનું આયુષ્ય બંધાય જ નહિ. સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં દેવલોકનું જ આયુષ્ય બંધાય. એટલે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ મળે, એમ માગણી કરવી, એનો અર્થ એ થયો કે, આયુષ્યના બંધ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International