________________
શંકા-સમાધાન
૫૦૩ બાંધે છે. રક્ષાપોટલી બાંધવાનો જે નિષેધ કરવામાં આવે છે, તે ભૌતિક સુખની પ્રાપ્તિ આદિના આશયથી બાંધવામાં આવતી રક્ષાપોટલી માટે સમજવો. સિદ્ધચક્રપૂજન વગેરેમાં રક્ષાપોટલી બાંધવાની વિધિ હોય ત્યારે રક્ષાપોટલી બાંધવી એ અલગ વાત છે અને ભૌતિક સુખ મેળવવા આદિના આશયથી રક્ષાપોટલી બાંધવી એ અલગ વાત છે.
આજે ધંધાદારી માણસો રક્ષાપોટલી વેચે છે અને સુખના અનુરાગી અજ્ઞાન જીવો તે રક્ષાપોટલીઓ વેચાતી લઈને બાંધે છે. કેટલાક સાધુઓ પણ રક્ષાપોટલી રાખે છે અને ગૃહસ્થોને આપે છે. સાધુઓ રક્ષાપોટલી રાખે અને ગૃહસ્થોને આપે, એ સંયમજીવનમાં એક પ્રકારની શિથિલતા છે. સાધુઓ પાસેથી રક્ષાપોટલી લેનારાઓ શિથિલતાને પોષે છે. સિદ્ધચક્ર પૂજનમાંય આજે તો પૂજનમાં આવનારાઓને પણ રક્ષાપોટલી આપવાની પ્રથા શરૂ થઈ છે તે પણ બરોબર જણાતી નથી. હા, પૂજન કરવા માટે બેસનારાઓ રક્ષાપોટલી બાંધે. કારણ કે તેવો વિધિ છે. પૂજન કરવા માટે બેસનારાઓએ “આ પૂજનવિધિ નિર્વિઘ્ન પૂર્ણ થાય” એવા આશયથી રક્ષાપોટલી બાંધવી જોઇએ, ભૌતિક સુખની પ્રાપ્તિ થાય વગેરે આશયથી નહિ.
શંકા- ૧૦૯૭. સાધુને રાજપિંડ ન કલ્પે તો આદિનાથ ભગવાને ઇશુરસથી પારણું શ્રેયાંસકુમારને ત્યાં કેમ કર્યું? ઈક્ષરસના ઘડા તો શ્રેયાંસકુમારની માલિકીના થઈ ગયા હતા. રાજપિંડ એટલે શું ?
સમાધાન– રાજપિંડ તીર્થકરને ન કહ્યું એવો નિયમ નથી. રાજપિંડ સાધુઓને ન કહ્યું. સાધુઓમાં પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને રાજપિંડ ન કહ્યું, એ નિયત આચાર છે. પહેલા અને છેલ્લા તીર્થંકર સિવાયના બાવીશ જિનેશ્વરોના સાધુઓને રાજપિંડ ન કલ્પ એમ નિયત આચાર નથી. કારણ કે તે સાધુઓ ઋજુ (સરળ) અને પ્રાજ્ઞ છે. એટલે રાજપિંડ લેવામાં જે દોષો બતાવ્યા છે તે દોષો લાગવાની સંભાવના જણાય તો રાજપિંડ ન લે, અને સંભાવના ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org