SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ શંકા-સમાધાન સમાધાન– અન્ય દર્શનીઓના જે અનુષ્ઠાનો મોક્ષમાર્ગને અનુસારનારા હોય, તેની અનુમોદના કરી શકાય પણ પ્રશંસા તો ગીતાર્થ પુરુષ કરી શકે, બધા નહિ. અનુમોદના માનસિક છે. જ્યારે પ્રશંસા વાચિક છેઃબીજાની પાસે કરવાની હોય છે. એથી ગીતાર્થ પુરુષ પ્રશંસા વિવેકથી કરે કે જેથી સાંભળનારને બીજા ધર્મ પણ સારા છે, એવું ન લાગે. કારણ કે અન્ય બધા ધર્મો મિથ્યાધર્મ છે. શંકા- ૧૦૯૫. આત્મમુક્તિ માટે નિર્જરાથી અશુભકર્મ ખપાવવાના હેતુથી ઉગ્ર તપસ્વી જંગલમાં સાધના કરે છે. ઘાયલ હરણ સાધક પાસે આવે છે. તટસ્થ-મધ્યસ્થ અને અનુકંપાભાવે હરણને સાધક શાતા પમાડે છે, તો સાધકને મુક્તિનો અવરોધક એવો શુભ કર્મનો બંધ પડે ? જો હા તો આવા પ્રસંગે શો વિકલ્પ પસંદ કરવો ? ઘાયલ હરણ પ્રત્યે ઉપેક્ષા કરવી ? સમાધાન પંચમહાવ્રતધારી સાધક સંસારી જીવોને સાતા પમાડવા માટે બાહ્ય ઉપચારો કરી શકે નહિ. દુઃખને સમતાથી સહન કરવાથી અશુભ કર્મોની ઘણી નિર્જરા થાય ઈત્યાદિ ઉપદેશરૂપ આંતરિક ઉપચારોથી સંસારી જીવને શાતા પમાડી શકે. જે જીવને ઉપદેશ આપી શકાય તેમ ન હોય, તે જીવ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે. શ્રાવકે દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા એ બંને પ્રકારની અનુકંપા કરવી જોઈએ. પંચ મહાવ્રતધારી સાધક મુખ્યતયા ભાવ અનુકંપા કરે. તેવા વિશિષ્ટ સંયોગમાં દ્રવ્ય અનુકંપા કરે, તો તેને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. આ શુભકર્મનો બંધ મુક્તિનો અવરોધક ન બને, કિન્તુ સહાયક બને. શંકા- ૧૦૯૬. દિકુમારિકાઓ ભગવાનનું સૂતિકર્મ કરે છે ત્યારે ભગવાનને અને ભગવાનની માતાને રક્ષાપોટલી બાંધે છે. આપણે તો રક્ષાપોટલી બાંધવાની જરૂર નથી એમ માનીએ છીએ, તો એનું કારણ શું ? સમાધાન- ભગવાનનો જન્મ થાય ત્યારે સૂતિકર્મ કરવું અને તેમાં રક્ષાપોટલી બાંધવી એ દિફકુમારિકાઓનો શાશ્વત આચાર છે, માટે દિકકુમારિકાઓ ભગવાનને અને ભગવાનની માતાને રક્ષાપોટલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy