________________
શંકા-સમાધાન
૫૦૧
સમાધાન- આમાં એકાંતે કોઈ જવાબ ન આપી શકાય, સંઘની તે તે વિગત જાણ્યા પછી આનો નિર્ણય કરી શકાય.
શંકા- ૧૦૯૧. કોઈ કોઈ ગ્રંથકારો ગ્રંથના પ્રારંભમાં શ્રુતદેવતાને (શ્રુતદેવીને) નમસ્કાર કરે છે તે યોગ્ય છે ? કેમકે ગ્રંથકાર છઠ્ઠા ગુણસ્થાને છે અને શ્રુતદેવતા ચોથા ગુણસ્થાને છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ જીવ ચોથા ગુણસ્થાને રહેલ અવિરતિધર જીવને નમસ્કાર કેવી રીતે કરી શકે ?
સમાધાન- શ્રુતજ્ઞાન મોક્ષનું કારણ છે અને શ્રુતની અધિષ્ઠાત્રી શ્રુતદેવી તેના સ્મરણ આદિ દ્વારા શ્રુતજ્ઞાનના ક્ષયોપશમમાં નિમિત્ત રૂપ બને છે. શ્રુતદેવીના આ ગુણને લક્ષમાં રાખીને પૂર્વાચાર્યોએ અનેક સ્થળે શ્રુતદેવીને નમસ્કાર કર્યો છે. આ નમસ્કાર શ્રુતદેવીરૂપ વ્યક્તિને નહિ, પણ એના ગુણને કરવામાં આવ્યો છે. (એનપ્રશ્ન ઉ.૧ ૮.૪૪)
શંકા- ૧૦૯૨. પૂર્વાદિ દિશામાં માથું રાખી સૂવાથી શું લાભહાની થાય ? સમાધાન- પ્રશિર :શયને વિદ્યા, ધનસામગ્ન લિ | पश्चिमे प्रबला चिन्ता, मृत्युहानिस्तथोत्तरे ॥१॥
અર્થ– પૂર્વ દિશામાં માથું રાખી સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય, દક્ષિણ દિશામાં માથું રાખી સૂવાથી ધનનો લાભ થાય, પશ્ચિમ દિશામાં માથું રાખી સૂવાથી અતિશય ચિંતા થાય અને ઉત્તર દિશામાં માથું રાખી સૂવાથી મૃત્યુ થાય.
શંકા- ૧૦૯૩. તામલી તાપસ સમકિત ક્યારે પામ્યો ?
સમાધાન– ભગવતી સૂત્રના આધારે ઈશાનેન્દ્ર થયા પછી સમકિત પામ્યો, અન્ય ગ્રંથના આધારે તો તામલી તાપસના તે જ ભવમાં અંતિમ સમયે ઈર્યાસમિતિનું પાલન કરતા કરતા જતા સાધુને જોઇને સમકિત પામ્યો.
શંકા- ૧૦૯૪. અન્ય દર્શનીઓના ધર્માનુષ્ઠાન અનુમોદવા યોગ્ય છે કે નહિ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org