________________
૪૯૬
શંકા-સમાધાન
હોલ્ડરને પણ લાગે. એકાદ શે૨ લે તો પણ આખી કંપનીનું પાપ શેર હોલ્ડરને લાગે. જાણવા મુજબ જો સત્ય હોય તો કંપનીઓ નીચે મુજબના પાપો પણ કરે છે. (૧) પ્રાયઃ બધી કંપનીઓમાં દારૂ પીવાય છે. (૨) પ્રાયઃ બધી કંપનીઓમાં માંસાહાર વગેરે અભક્ષ્ય ભક્ષણ થાય છે. (૩) વેશ્યાઓ રખાતી હોય તોપણ નવાઇ નથી. (૪) ટેક્સચોરી, જૂઠ વગેરે ઘણા પાપોની પણ સંભાવના છે.
શેર ખરીદનારને આ બધા પાપો લાગે. આટલા બધા પાપોની સામે નફાનો ભાગ અતિશય નજીવો ગણાય. માટે સમજુ જૈને શેરબજારમાં ન પડવું એ જ હિતાવહ છે. શાસ્ત્રકારોએ શ્રાવકને ધંધો ન જ કરવો, એમ નિષેધ કર્યો નથી. પણ આવા પાપવાળા ધંધાનો નિષેધ કર્યો છે. ઉત્તમ જૈનશાસનને પામીને શ્રાવક આવા પાપવાળા ધંધા કરે એ ઘણી જ કમનસીબી ગણાય.
શંકા ૧૦૮૩. પ્રવેશ-પ્રતિષ્ઠા-મહોત્સવ આદિના પ્રચાર માટે વર્તમાનમાં બનાવાતા પ્લાસ્ટિકનાં બોર્ડે (ફ્લેક્સો) ગરીબોને ઝૂંપડા ઉપર ઢાંકવા આપી શકાય ?
સમાધાન– પહેલા નંબરમાં તો આવા બોર્ડ બનાવવા ન જોઇએ. આજે કેટલાક કાર્યો દેખાદેખીથી થઇ રહ્યાં હોવાથી આવા બોર્ડો બનાવવા પડ્યા હોય, તો કાર્ય પતી ગયા પછી વિધિપૂર્વક પરઠવી દેવા જોઇએ. પણ ગરીબોને ઝૂંપડા ઉપર ઢાંકવા ન આપી શકાય. કારણ કે તેમાં અક્ષરો હોય છે, અક્ષરો એ જ્ઞાન છે, આથી ગરીબોને ઝૂંપડા ઢાંકવા આપવાથી જ્ઞાનની આશાતના થાય.
શંકા- ૧૦૮૪. મહાવિદેહક્ષેત્રમાં જન્મ લેનારા તમામ માણસો પ્રથમ સંઘયણવાળા જ હોય ?
સમાધાન– મહાવિદેહક્ષેત્રમાં જન્મ લેનારા તમામ માણસો પ્રથમ સંઘયણવાળા જ હોય એવો નિયમ નથી. છ એ સંઘયણવાળા મનુષ્યો હોય.
શંકા- ૧૦૮૫. સાત ક્ષેત્ર પૈકી શ્રાવક-શ્રાવિકા માટે થયેલ ભંડોળમાંથીપાઠશાળાના સંચાલન કેપ્રભાવના માટે રકમ વાપરી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org