________________
૪૯૫
શંકા-સમાધાન છે. કોઈ પણ અધિકાર યોગ્યતા મુજબ અપાય. વ્યવહારમાં પણ બાપને પાંચ પુત્રો હોય, તો બાપ દરેક પુત્રને એકસરખો અધિકાર ન આપે. જે પુત્રની જેવી યોગ્યતા હોય, તે પુત્રને તે પ્રમાણે અધિકાર આપે. વ્યવહારમાં પણ જો અધિકાર યોગ્યતા પ્રમાણે અપાય, તો ધર્મમાં તો ચોક્કસ યોગ્યતા પ્રમાણે જ અધિકાર અપાવો જોઈએ.
શંકા- ૧૦૮૧. અહીં સંસારમાં દુઃખી થતા જીવોને મૂકીને પોતે મોક્ષમાં જાય તેવા ઈશ્વરને કરુણાસાગર કેમ કહેવાય ?
સમાધાન- જૈનદર્શનમાં માન્ય ઈશ્વર જગતના કર્તા નથી, કિંતુ જ્ઞાતા (જાણનારા) છે. ઈશ્વરનું કામ જીવોને સુખ-દુઃખનો માર્ગ ધર્મદિશના દ્વારા બતાવવાનું છે. આ કામ ઇશ્વર સંસારમાં હોય ત્યાં સુધી દરરોજ કરે છે. બાકી, ઇશ્વર જીવોને હાથ પકડીને મોક્ષમાં લઈ જઈ શકે નહિ. જો ઈશ્વર જીવોને હાથ પકડીને મોક્ષમાં લઈ જઈ શકતા હોત, તો આ વિશ્વ ક્યારનું ય જીવોથી રહિત બની ગયું હોત. આ દુઃખમય વિશ્વ ક્યારેય ખાલી થવાનું નથી. જે જીવ ઇશ્વરના ચીંધેલા સુખના માર્ગે ચાલે છે, તે સર્વ દુઃખોથી મુક્ત બની જાય છે. આ પ્રશ્ન પણ ઈશ્વરના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે થયો છે. માટે પ્રશ્નકારે ગુરુ ભગવંત પાસે જઈને ઈશ્વરનું યથાર્થ સ્વરૂપ સમજી લેવું જોઇએ.
શંકા- ૧૦૮૨. જૈનો શેર બજારમાં પોતાની મિલકત રોકે તે યોગ્ય છે ?
સમાધાન– શેરબજારનો ધંધો કર્યાદાનનો ધંધો છે. જે ધંધામાં ઘણી હિંસા થતી હોય તેવા ધંધાને શાસ્ત્રકારોએ કર્માદાનનો ધંધો કહ્યો છે. શ્રાવક માટે કર્માદાનનો ધંધો નિષિદ્ધ છે. કોઈ પણ કંપની લગભગ પ્રતિદિન ઘણી હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતી હોય છે. કંપનીઓની પ્રવૃત્તિ દિવસ અને રાત સતત ચાલુ હોય છે. તેમાં પાણી, વીજળી, કોલસા કે ડીઝલ વગેરેનો વપરાશ ખૂબ થાય છે. તેથી મહાઆરંભ-સમારંભ સતત ચાલુ રહે છે. શેર ખરીદનાર કંપનીનો ભાગીદાર બને છે. તેથી કંપની જે પાપ કરે તે પાપ શેર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org