________________
૪૯૪
શંકા-સમાધાન કરતાં બંગલાની અનુમોદના કરનારને વધારે કર્મબંધ થાય. એવી રીતે કોઈ જિનપૂજા કરે અને કોઈ પોતે જિનપૂજા ન કરી શકતો હોય એથી બીજાને જિનપૂજા કરવાની પ્રેરણા કરે અથવા તો જિનપૂજા કરનારની અધિકભાવથી અનુમોદના કરે તો જિનપૂજા કરનાર કરતા અન્યને જિનપૂજા કરવાની પ્રેરણા કરનાર કે જિનપૂજા કરનારની અનુમોદના કરનારને અધિક લાભ થાય તેવું બને.
શંકા- ૧૦૮૦. જૈનશાસનમાં સ્ત્રીઓને નીચી ગણવામાં આવે છે. તેનું શું કારણ ?
સમાધાન– આ અજ્ઞાન લોકોથી પ્રચારાયેલી તદ્દન ખોટી માન્યતા છે. જૈનશાસનમાં સ્ત્રીઓનું એમની કક્ષા પ્રમાણે ઊંચું સ્થાન છે. જૈનશાસન ગુણનો અનુરાગી છે. આથી જેનામાં જે ગુણ હોય તેના તે ગુણની પ્રશંસા-અનુમોદન કરે જ છે. આથી જ મહાન આચાર્ય ભગવંતો પણ દરરોજ પ્રાતઃ કાળે સતી સ્ત્રીઓનાં નામો બોલીને સતી સ્ત્રીઓનું સ્મરણ કરે છે. જૈન શાસ્ત્રોમાં સ્ત્રી નરકનું દ્વાર છે, સ્ત્રીઓમાં માયા, વક્રતા, ચંચળતા વગેરે દોષો હોય છે ઇત્યાદિ રીતે સ્ત્રીઓની કરવામાં આવેલી નિંદા સ્ત્રીઓને ઉતારી પાડવા માટે નથી, કિંતુ પુરુષને સ્ત્રી પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે છે. માણસને ધન પ્રત્યે રહેલો રાગ ઘટે એ માટે ધન અનિત્ય છે, આર્તધ્યાનનું કારણ છે, દુઃખનું કારણ છે ઇત્યાદિ રીતે જેમ ધનની નિંદા કરવામાં આવી છે, તે જ રીતે સ્ત્રી પ્રત્યે રાગ ઘટે એ માટે
સ્ત્રીની નિંદા કરવામાં આવી છે. ખરી રીતે આને નિંદા નહિ, વાસ્તવિક સ્વરૂપ દર્શન જ કહેવાય. બાકી સ્ત્રી તરીકે એનું જે સ્થાન છે, એ સ્થાનમાં તે રહે એ જ પુરુષ અને સ્ત્રી એ બંને માટે હિતાવહ છે. ઝાંઝરનું સ્થાન પગ જ હોય, મસ્તક વગેરે નહિ. ઝાંઝરને પગમાં પહેરવાથી ઝાંઝરનું મહત્ત્વ ઘટી જતું નથી. આજે થઈ રહેલ સ્ત્રી સ્વાતંત્ર્ય આદિની વાતો જૈનશાસનને માન્ય નથી. કેમ કે એમાં જગતનું અહિત છે. જૈનશાસનમાં સ્ત્રીઓને અમુક અધિકારો આપવામાં આવ્યા નથી, એનું કારણ સ્ત્રીમાં તેની યોગ્યતાનો અભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org