________________
શંકા-સમાધાન
૪૯૩
બીમાર ન પડ્યા. આથી તે ભાગ્યશાળી શોક કરવા લાગ્યો કે “મેં શ્રેષ્ઠ અભિગ્રહ તો ગ્રહણ કર્યો, પણ કોઇ સાધુ ક્યારે પણ ગ્લાન થયા નહિ. અરેરે ! હું અધન્ય છું ! અફસોસ છે કે, મારું ઇષ્ટ સિદ્ધ થયું નહિ.” આ શોકમાં તેનો આશય તો પોતાને લાભ ન મળ્યો એવો છે. પણ શાસ્ત્રકારોએ આવા શોકને કર્મબંધનો હેતુ કહ્યો છે. કારણ કે તેમાં ગર્ભિત રીતે “જો કોઇ સાધુ ગ્લાન થાય તો સારું' એવો ભાવ રહેલો છે. કોઇ સાધુ બીમાર પડે તો જ તેનો અભિગ્રહ સફળ થાય. આમ અભિગ્રહ સફળ ન થયાનો શોક એટલે કોઇ સાધુ બીમાર ન પડ્યા તે શોક. તે પ્રમાણે પ્રસ્તુતમાં ‘છૂટ્યો' એમ બોલવું એ ગુણ નથી, કિંતુ દોષ છે. બીજી રીતે વિચારીએ તો એ સમજી શકાય છે કે, કોઇ પણ જીવ મરવાથી દુઃખથી છૂટી જતો નથી. જો મરવા છતાં તેનાં કર્મો ભોગવવાના બાકી રહી ગયા હોય, તો ભવાંતરમાં બીજી કોઇ પણ રીતે ભોગવશે માટે મૃત્યુ એ દુઃખથી છૂટવાનો ઉપાય નથી, કિન્તુ કર્મથી સર્વથા મુક્ત બનવું, એ જ દુઃખથી સર્વથા છૂટવાનો ઉપાય છે.
શંકા- ૧૦૭૯. ‘કરણ-કરાવણ ને અનુમોદન સરીખાફળ નીપજાવે' આ પંક્તિ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમ ચારેને લાગુ પડે ? પાપની ક્રિયા કરે, કરાવે અથવા તેની અનુમોદના કરે તે દરેકને શું એક સરખો કર્મબંધ થાય ?
સમાધાન– આ પંક્તિ સામાન્યથી જણાય છે. એકાંતે નિયમ નથી. ધર્મ કે પાપ કરનાર, કરાવનાર અને અનુમોદના ક૨ના૨ એ ત્રણેનો પરિણામ એક સરખો હોય તો એ પંક્તિ લાગુ પડે. પરિણામમાં ફેરફાર હોય તો કર્મબંધમાં કે કર્મનિર્જરામાં ફેરફાર થાય. ક્યારેક એવું બની શકે કે પાપક્રિયા કરનાર કરતા અનુમોદના કરનારને અધિક કર્મબંધ થાય એવું પણ બને. જેમકે શાસ્ત્રમાં આવે છે કે કોઇ પોતાના રહેવા માટે બંગલો બંધાવે પણ એમાં થયેલી પાપક્રિયાને રસ વિના કરે અને કોઇક વાહ ! કેવો સુંદર બંગલો બનાવ્યો છે. એમ રસપૂર્વક અનુમોદના કરે તો બંગલો બંધાવનાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org