SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ શંકા-સમાધાન શંકા- ૧૦૭૬. ઝાડ ઉપર નાળિયેર લટકાવવાની પ્રથા અજૈનોમાં તો દેખાય છે, પણ જૈનોમાં આ પ્રથા કેવી રીતે દાખલ થઈ હશે? સમાધાન– જૈનશાસ્ત્રોમાં શ્રીફળને ઝાડ ઉપર લટકાવવાનું વિધાન જોવા મળતું નથી. વર્તમાનકાળમાં સુખની લાલસાવાળાઓએ આ પ્રથા શરૂ કરી હોય એમ લાગે છે. આથી આ પ્રથાનું અનુકરણ કરવું જરાય યોગ્ય નથી. શંકા- ૧૦૭૭. એક આંખવાળા નાળિયેર વગેરેની સાંસારિક ફળની ઈચ્છાથી પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે કે નહિ ? સમાધાન- મિથ્યાત્વ ન લાગે, આ અંગે સેન પ્રશ્ન ઉલ્લાસ૧. પ્ર.૧૬ માં જણાવ્યું છે કે “આ લોકના લાભ માટે” દક્ષિણાવર્ત શંખ વગેરેની પેઠે એકાક્ષિ નાળિયેર વગેરેની પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે એવું મારા (શ્રી સેનસૂરિજી મ.ના) જાણવામાં નથી. શંકા- ૧૦૭૮. દર્દથી પીડાતો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કેટલાક શ્રાવકો એવું બોલતા હોય છે કે “એ જીવ છૂટ્યો.” આમાં એમનો આશય તો “એ જીવ દુઃખથી છૂટ્યો' એમ જ કહેવાનો હોય છે. એમ બોલવામાં એ જીવના મરણની અનુમોદનાનો દોષ ઊભો થાય કે નહિ ? “છૂટ્યો” એમ બોલવું એ ગુણ છે કે દોષ છે ? સમાધાન– “એ જીવ છૂટ્યો” એમ બોલવામાં “એ જીવ દુઃખથી છૂટ્યો” એવો આશય હોવા છતાં એ જીવના મરણની અનુમોદનાનો દોષ લાગે. કારણ કે આમાં ગર્ભિત રીતે મરણની ઇચ્છા આવી જાય છે. દુઃખથી ક્યારે છૂટે? જીવનથી છૂટે તો. મરણ થાય તો જીવનથી છૂટે. આમ ગર્ભિત રીતે મરણની ઇચ્છા આવી જાય છે. માટે જ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે- ધર્મના અર્થી મનુષ્યોએ સદા ધર્મને સૂક્ષ્મબુદ્ધિથી સમજવો જોઈએ. અન્યથા ધર્મબુદ્ધિથી ધર્મનો નાશ થાય. આ વિષે સંક્ષેપમાં દૃષ્ટાંત આ પ્રમાણે છે- એક ભાગ્યશાળીએ “આ ચાતુર્માસમાં ગ્લાન સાધુઓને ઔષધની જે કંઈ જરૂર પડે, તેનો લાભ મારે લેવો” એવો અભિગ્રહ લીધો. ભાગ્યયોગે સંપૂર્ણ ચાતુર્માસ દરમિયાન કોઈ સાધુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy