SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન શંકા- ૧૦૭૪. સ્ત્રીઓ પુરુષ જેવો વેશ પહેરીને દેરાસરઉપાશ્રયમાં પ્રવેશ કરી શકે ? ૪૯૦ સમાધાન– ન કરી શકે. આ અંગે તા. ૧૪-૦૩-૨૦૦૩ના રોજ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી જે લખાણ પ્રકાશિત થયું છે, તે અક્ષરશઃ આપવામાં આવ્યું છે. સકલ શ્રી જૈન સંઘ જોગ આપણી સમસ્ત આર્ય પ્રજાનો અને સમસ્ત જૈન સંઘવર્તી શ્રાવકશ્રાવિકાઓનો પહેરવેશ માર્ગાનુસારિતાના ગુણ મુજબ આર્ય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિને શોભે એવો હોવો જોઇએ. તદનુસાર ભાઇઓ માટે મુખ્યપણે ધોતી, ખેસ, પાઘડી, અંગરખું આદિ અને બહેનો માટે સાડી, ચણિયો, ચોળી આદિનો પહેરવેશ શાસ્ત્ર અને પરંપરાને અનુસારે બતાવાયેલો છે. પરંતુ પશ્ચિમના વિલાસી વાતાવરણને પ્રસરાવનારા સાધનો સિનેમા, ટી.વી., વીડિયો, ઇન્ટરનેટ, છાપાં, મેગેઝીનો, ક્લબો, જીમખાના, સ્કુલ-કોલેજો વગેરેને કારણે જોનારને પણ શરમ આવે એવા કપડાં ઉચ્ચ ખાનદાન કુટુંબના ગણાતા લોકો પહેરતા થઇ ગયા છે. એવાં કપડાં કોઇપણ જગ્યાએ ન પહેરવાં જોઇએ. ધર્મસ્થાનોમાં તો ખાસ ન પહેરવાં જોઇએ. ધર્મસ્થાનોમાં કે ધર્મતીર્થોમાં આવનારનું લક્ષ્ય મન:શાંતિ અને મનઃશુદ્ધિનું હોવાનું શાસ્ત્રોએ બતાવ્યું છે. એવા સ્થાનમાં મનની શાંતિ અને મનની શુદ્ધિને ડહોળી નાંખનારો અને મનની ખરાબ વૃત્તિઓને ઉશ્કેરનારો પહેરવેશ પહેરનારાં સ્ત્રી-પુરુષો ઘણું મોટું પાપ કરી રહ્યાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થ– બીજા સ્થાનમાં કરાયેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પણ તીર્થસ્થાનમાં કરાયેલું પાપ તો વજ્ર જેવું ગાઢ બની જાય છે. બીજાના દુર્ભાવોને ઉશ્કેરનારાં સ્ત્રી-પુરુષો આવતા ભવમાં નરક કાં તો તિર્યંચમાં જવાના કારણે મનુષ્યનું શરીર જ ન પામે અથવા For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy